Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28
અગામી તા.2જી જુલાઈ, 2022ના રોજ શનિવારે વાપી નગરપાલિકા વિસ્‍તારનો ‘‘સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્‍યું છે.
નગરપાલિકાની અખબારી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા રાજય્‍ના વહીવટમાં પારદર્શીતા વધે તેમજ પ્રજાની વ્‍યક્‍તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપવધે તે માટે ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગે એક પરીપત્ર બહાર પાડી ‘‘સેવા સેતુ કાર્યક્રમ” ઉજવણી કરવાનું નક્કી કરેલ હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમમાં તેજ દિવસે અરજદારો દ્વારા રજુ કરાતી અરજીઓ અંગે સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ સેવાઓ તે જ દિવસે પુરી પાડવા હેતુસર ‘‘સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન તા.2જુલાઈ, 2022ના શનિવારના રોજ સવારે 10:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધી વોર્ડ નં. 1, 2, 8 અને વોર્ડ નં.9નો સેવાસેતુ ચલા ઝોન કચેરી, ચલા દમણરોડ, ચલા-વાપી ખાતે આયોજન કરવામાં આવેલ છે. જે બાબતે નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ તમામ જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે વ્‍યક્‍તિલક્ષી વિવિધ સેવાઓ જેવી કે આધારકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, સિનિયર સિટીઝનનો દાખલો, વિધવા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના, રાશનકાર્ડની સેવાઓ, જન્‍મ મરણની સેવાઓ, ડોમીસાઈલ સેવાઓ, આકારણી પત્રકની સેવાઓ વગેરે બાબતે સેવા સેતુ કાર્યક્રમમાં તે જ દિવસે અરજી રજૂ કરી શકાશે. જે નિકાલ કરવાપાત્ર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવશે. જે માટે જે તે સરકારી વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ અરજીઓના નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે.

Related posts

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

vartmanpravah

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

vartmanpravah

દાનહ નવા સ્‍પોર્ટ્‌સ કોમ્‍પલેક્ષ ખાતે યોગા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ‘નલ સે જલ યોજના’માં પાણીની પાઈપ લાઈન ઉપરથી જ દાટી વેઠ ઉતારતા કેટલાક ગામોમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા લોકોમાં આક્રોશ

vartmanpravah

‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” : મોદી સરકારે શરૂ કરેલી નવી પરંપરા કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દાનહની પેટા ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂર્ણ કરી મોદી સરકારની વચનબધ્‍ધતાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

દાનહમાં જાન્‍યુ. ફેબ્રુ.-2023માં તીરંદાજી સંઘ દ્વારા થનારૂં સ્‍પર્ધાનું આયોજનઃ વિવિધ પંચાયતોમાં તીરંદાજીના વર્ગોની થનારી શરૂઆત

vartmanpravah

Leave a Comment