July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28
અગામી તા.2જી જુલાઈ, 2022ના રોજ શનિવારે વાપી નગરપાલિકા વિસ્‍તારનો ‘‘સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્‍યું છે.
નગરપાલિકાની અખબારી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા રાજય્‍ના વહીવટમાં પારદર્શીતા વધે તેમજ પ્રજાની વ્‍યક્‍તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપવધે તે માટે ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગે એક પરીપત્ર બહાર પાડી ‘‘સેવા સેતુ કાર્યક્રમ” ઉજવણી કરવાનું નક્કી કરેલ હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમમાં તેજ દિવસે અરજદારો દ્વારા રજુ કરાતી અરજીઓ અંગે સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ સેવાઓ તે જ દિવસે પુરી પાડવા હેતુસર ‘‘સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન તા.2જુલાઈ, 2022ના શનિવારના રોજ સવારે 10:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધી વોર્ડ નં. 1, 2, 8 અને વોર્ડ નં.9નો સેવાસેતુ ચલા ઝોન કચેરી, ચલા દમણરોડ, ચલા-વાપી ખાતે આયોજન કરવામાં આવેલ છે. જે બાબતે નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ તમામ જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે વ્‍યક્‍તિલક્ષી વિવિધ સેવાઓ જેવી કે આધારકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, સિનિયર સિટીઝનનો દાખલો, વિધવા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના, રાશનકાર્ડની સેવાઓ, જન્‍મ મરણની સેવાઓ, ડોમીસાઈલ સેવાઓ, આકારણી પત્રકની સેવાઓ વગેરે બાબતે સેવા સેતુ કાર્યક્રમમાં તે જ દિવસે અરજી રજૂ કરી શકાશે. જે નિકાલ કરવાપાત્ર અરજીઓનો તે જ દિવસે નિકાલ કરવામાં આવશે. જે માટે જે તે સરકારી વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ અરજીઓના નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે.

Related posts

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

યુઆઈએના પ્રમુખ નરેશ બંથીયાએ કુદરતી વહેણ અવરોધતા પાણી ભરાવાની સર્જાતી સમસ્‍યા તરફ સંબધિત વિભાગો અને જનપ્રતિનિધિઓનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં સામી દિવાળીએ માર્ગ મકાન વિભાગ દ્વારા 25 રસ્‍તાઓનું નવીનીકરણ કરાતા લોકોમાં રાહત

vartmanpravah

દમણ મહિલા મંડળ દ્વારા 1988થી આજપર્યંત શેરી ગરબા દ્વારા પરંપરા અને સંસ્‍કૃતિનું થઈ રહેલું જતન

vartmanpravah

વલસાડની ચકચારી વૈશાલી બલસારા હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાએ પ્રસવ પીડા બાદ પૂત્રીનો જન્‍મ આપ્‍યો

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

Leave a Comment