January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

રાનવેરી કલ્લા ગામે અગાઉની બોલાચાલીની અદાવતે બેને માર મરાતા બંને ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા: પોલીસે બનાવમાં ચાર જેટલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) ચીખલી(વંકાલ), તા.24
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.22મે ના રોજ રાત્રે દસેક વાગ્‍યાના અરસામાં રાનવેરી કલ્લાના જૂનાવાડા ફળીયા સ્‍થિત ફરિયાદી સ્‍નેહલકુમાર હસમુખભાઈ પટેલ (ઉ.વ.26)ની બહેનને અગાઉની નાની બોલાચાલીની અદાવત રાખી પાડોશી મનીષભાઈએ ગાળો આપતા તે બાબતે પૂછવા જતા તે એકદમ ઉશ્‍કેરાઈ જઈ સ્‍નેહલકુમારને લાકડાનો ફટકો મારતા અને તેને બચાવવા જતા તેની બહેન અર્પિતાને પણ ઝપાઝપી કરતા અન્‍યો ભેગા મળી માર મારતા અને તેમના સંબંધી કૃપલ તથા ચિંતન સાથે પણ ઝપાઝપી કરી ઢીક્કામુક્કીનો માર મારવા લાગતા આજુબાજુના ઘણાં લોકો દોડી આવી વધુ મારથી બચાવ્‍યા હતા.
બનાવમાં સ્‍નેહલકુમારને માથામાં ઇજા થતાં ચક્કર આવતા ગામના સરપંચ સહિતનાઓ દ્વારા હોસ્‍પિટલમાં ખસેડાયા હતા જ્‍યાં તેમને માથામાં ટાંકા લેવા પડ્‍યા હતા. આ ઉપરાંત તેની બહેન અર્પિતાને પણ સારવાર લેવાની ફરજ પડી હતી.
ઉપરોક્‍ત હકીકત મુજબની ફરિયાદમાં પોલીસે મનીષ અર્જુનભાઈ પટેલ, અર્જુનભાઈ પટેલ, નિમિષા અર્જુન પટેલ તથા વિહલ ઈશ્વરભાઈ પટેલ (તમામ રહે.રાનવેરી કલ્લા જૂનાવાડા ફળિયું તા. ચીખલી) એમ ચાર જેટલા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. કે.એમ.વસાવા કરી રહ્યા છે.

Related posts

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

ઉમરગામ પાલિકાની સામાન્‍ય સભાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની નવી સમિતિની કરાયેલી રચના બાદ ડો. વિશાલ ટંડેલની અધ્‍યક્ષતામાં દેવકાની હોટલ તાનિયા સી રોકમાં યોજાયેલી બેઠક

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

Leave a Comment