(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18: સરીગામ મુખ્ય બજારમાં ગતરાત્રિના સમય દરમિયાન અલ્ટો કાર ચાલકે ગફલત રીતે અહંકારી બાઈક સવારને અડફેટે લેતા અકસ્માતની ઘટના બનવા પામી હતી. ઘટનામાં બાઈકની પાછળ બેસેલ યુવાન શ્રવણકુમાર પરમાનંદ રાજભરને શરીર તેમજ માથાના ભાગે પહોંચેલી ગંભીર ઈજાના કારણે મોત થતા સમગ્રવાતાવરણ શોકમગ્ન બની જવા પામ્યું હતું. જ્યારે બાઈક ચાલક રાજેશ ફુલચંદ શર્માને પગના ભાગે ફેક્ચર તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે વાપીની આયુષ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના બાદ ઘટના સ્થળેથી આરોપી કારચાલક ભાગી ગયો હતો. આ ઘટનાની ફરિયાદ ત્રિયેશ નંદલાલ રાજભરે ભીલાડ પોલીસ માટે કે આપતા અજાણ્યા અલ્ટો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Previous post