February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

દિવ્‍યાંગ બાળકોને વાલીઓ મેળામાં લઈ જવામાં સંકોચ અનુભવતા હોવાથી શાળા દ્વારા રાઈડ્‍સ પણ મંગાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.13 : વલસાડના કૈલાસ રોડ પર બિસ્‍કિટવાળા કંપાઉન્‍ડની બાજુમાં જયના અનુપમ એન.પરમાર ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રી જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિન તથા માનસિક વિકલાંગ દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
દિવ્‍યાંગ બાળકોને વાલીઓ કોઈ મેળામાં લઈ જવા તથા રાઈડ્‍સમાં બેસાડવા માટે સંકોચ અને ડર અનુભવતા હોય છે. પરંતુ આ બાળકો પણ રાઈડ્‍સની મજા માણી શકે તે માટે ખાસ કરીને ટેમ્‍પોલીન તથા ટોય ટ્રેનની રાઈડ્‍સ મંગાવવામાં આવી હતી. જેની દિવ્‍યાંગ બાળકોએ ભરપેટ મજા માણી હતી. પોતાના બાળકોના ચહેરા પર સ્‍મિત આવતા વાલીઓ અને શાળા પરિવારના સભ્‍યોના ચહેરા પણ ખીલી ઉઠ્‍યા હતા. બાળકોએ શિક્ષકો અને વાલીઓની મદદથી રાઈડ્‍સનો આનંદ માણ્‍યો હતો. જે જીવનભર યાદગાર રહ્યો હતો. બપોર પછી બાળકો પાસે ચિત્રકામ પણ કરાવવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોએ રંગબેરંગી કલરો ભરી અનેક ચિત્રોને આકર્ષક બનાવ્‍યા હતા. ઉજવણી -સંગેરાઈડ્‍સ અને ભોજનની તમામ વ્‍યવસ્‍થા ડો. ચેતનાબેન દાવડા તરફથી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં દક્ષેશભાઈ ઓઝા, પરસોત્તમભાઈ માકડિયા, ઉષાબેન ઓઝા અને મયુરભાઈ પટેલે હાજરી આપી હતી. શાળાના આચાર્યા આશાબેન સોલંકી અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યું

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્‍કાર એનાયત કરાયા

vartmanpravah

દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી

vartmanpravah

દમણ ખાતે લાઈવ કન્‍સર્ટમાં ભાગ લેવા આવેલ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

લોકસભાની દાનહબેઠકની પેટા ચૂંટણીમાં 3 ઓબ્‍ઝર્વરોની નિમણૂક

vartmanpravah

Leave a Comment