(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીમાં મંગળવારે નવો 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં હાલમાં 06 સક્રિય કેસો છે, અત્યાર સુધીમાં 6316 કેસ રિક્વર થઈ ચુક્યા છે અને ત્રણ વ્યક્તિનું મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 253 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 01 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજન 71 નમૂના લેવામાં આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવેલ નથી. જિલ્લામાં 01 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયો છે. જિલ્લામાં 01 દર્દી રિક્વર થતા રજા આપવામાં આવી હતી. દાનહ આરો વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવિશીલ્ડ વેક્સિનનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 572 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જિલ્લામાં પ્રથમ ડોઝ 458850 અને બીજો ડોઝ 348143 વ્યક્તિઓને આપવામાં આવી ચુક્યો છે. જ્યારે પ્રિકોશન ડોઝ 25748 જેટલી વ્યક્તિઓને આપવામાં આવ્યા છે. કુલ 832741 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
Previous post