July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલીયારી ગામે અગ્નિસંસ્‍કાર પતાવી નદીના ચેકડેમમાં નાહવા ગયેલ ખુડવેલના યુવાનનું ડૂબી જતાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી તાલુકાના ખુડવેલ ગામના કેસૂર ફળીયા ખાતે રહેતા નરોત્તમ દુર્લભભાઈ પટેલ (ઉ.વ-44) (રહે.ખુડવેલ કેસૂર ફળીયા તા.ચીખલી) મંગળવારની સાંજના સમયે ફળીયાના એક શખ્‍સના અગ્નિસંસ્‍કાર કરવા માટે કલીયારી ગામે ખરેરા નદી કિનારે સ્‍મશાનભૂમિ ખાતે ગયા હતા. આ દરમ્‍યાન અગ્નિસંસ્‍કાર થયા બાદ નરોત્તમભાઈ ખરેરા નદીના ચેકડેમમાં નાહવા જતા ઊંડા પાણીમાં ડૂબી જતા ફળીયાના માણસોએ બહાર કાઢી રૂમલા સરકારી હોસ્‍પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની ફરિયાદ ચીમનભાઇ ઝીણાભાઈ પટેલ (ઉ.વ-59)(રહે.ખુડવેલ કેસૂર ફળીયા તા ચીખલી) એ કરતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-એસ.વી.પટેલ કરી રહ્યા છે.

Related posts

વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલમાં અંગદાન દાતા પરિવારના સભ્‍યોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પર્યાવરણ અને ગૌમાતાને બચાવવા યુવા નેતા તનોજ પટેલની નવતર પહેલ

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

vartmanpravah

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

Leave a Comment