September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશપારડીસેલવાસ

નરોલીમાં એક આદિવાસી યુવકની હત્‍યાથી ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીના નરોલી ગામમાં એક યુવાનની હત્‍યા કરેલ જોવા મળતા ચકચારમચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર રાકેશ અરવિંદ હળપતિ (ઉ.વ.29) રહેવાસી દાદરા, જે સોમવારના રોજ સવારે બ્રાહ્મણ ફળીયા નરોલી ખાતે સાસરે આવ્‍યો હતો. જે એના સાસરાના ઘર નજીક જ એની માસીનું પણ ઘર આવેલ છે, જ્‍યાં એ રાત્રી દરમ્‍યાન રોકાયો હતો. સવારે જ્‍યારે એની માસીએ ઉઠીને જોયું તો રાકેશ ઘરમાં ન હતો, જેથી બહાર નીકળીને જોયું તો ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો, જે જોઈ માસીએ એના સાસરાવાળાને તાત્‍કાલિક જાણ કરી હતી, સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીના, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, એસએચઓ શ્રી અનિલ ટી.કે., પીએસઆઈ શ્રી સુરજ રાઉત સહિત પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને ઘટના અંગે જાણકારી મેળવી હતી.
તપાસમાં રાકેશની પત્‍નીની પૂછપરછ કરતા જણાવ્‍યું કે અમારા વચ્‍ચે સારો સબંધ હતો, હું હાલમાં પિયરમાં રહેવા આવી હતી અને મારા પતિ મને મળવા આવ્‍યા હતા. આજુબાજુ પૂછપરછ કરતા શંકાના આધારે એક યુવાનને પકડમાં લઈ પોલીસ પૂછપરછ કરી રહી છે. રાકેશની હત્‍યા કોઈએ માથાના ભાગે કુહાડી મારી કરી હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્‍યું છે. ઘટનાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહીછે.

Related posts

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

vartmanpravah

દાનહના દૂધની નજીક કૌંચા ખાતે યોજાયેલ બેઠક દાનહમાં કોંગ્રેસે પોતાના જનાધારને વધારવા શરૂ કરેલા પ્રયાસોઃ કોંગ્રેસના વિજયને સુનિશ્ચિત કરવાનો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment