April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના સંદર્ભે ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન સમગ્ર દેશમાં 13 ઓગસ્‍ટથી 15ઓગસ્‍ટ સુધી ચાલશે. પ્રદેશમાં પ્રશાસન દ્વારા પણ પુરી તૈયારી કરી લીધી છે. આઅભિયાનને સફળ બનાવવા માટે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક પંચાયત વિસ્‍તારમાં કાર્ય શરૂ કરી દીધું છે. આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે સુરંગી પંચાયત વિસ્‍તારમાં અલગ અલગ બેઠકોનું આયોજન કર્યું હતું. જેમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળતા પૂર્વક કેવી રીતે મનાવી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સુરંગી ગામના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, ઔદ્યોગિક એકમના પ્રતિનિધિ, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, દુકાનદારો, વેપારીઓ સાથે અલગ અલગ બેઠક કરવામાં આવી હતી.

Related posts

દાનહઃ મસાટની એક કંપનીમાં કામ કરતા યુવાને રખોલી પુલ પરથી કુદી આત્‍મહત્‍યાનો કરેલો પ્રયાસઃ બ્રિજ ઉપર બંને બાજુ લોખંડની જાળી લગાવવાની માંગ તંત્રના કાને સંભળાતી નથી

vartmanpravah

સોનવાડા ગામે ઘરમાં આગ લાગતા મચી અફરાતફરી

vartmanpravah

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

vartmanpravah

દાનહ ખાતે તા.23મી જાન્‍યુઆરી, ર0રરના રોજ અન્‍ડર-19 હેન્‍ડ બોલ ખેલાડીનું સિલેક્‍શનનું આયોજન

vartmanpravah

કોલક ડુંગરીવાળી ખાતે ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા અકસ્‍માતઃ પિતા તથા સાત વર્ષના બાળકનું કરૂણ મોત

vartmanpravah

Leave a Comment