December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના સંદર્ભે ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન સમગ્ર દેશમાં 13 ઓગસ્‍ટથી 15ઓગસ્‍ટ સુધી ચાલશે. પ્રદેશમાં પ્રશાસન દ્વારા પણ પુરી તૈયારી કરી લીધી છે. આઅભિયાનને સફળ બનાવવા માટે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક પંચાયત વિસ્‍તારમાં કાર્ય શરૂ કરી દીધું છે. આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે સુરંગી પંચાયત વિસ્‍તારમાં અલગ અલગ બેઠકોનું આયોજન કર્યું હતું. જેમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળતા પૂર્વક કેવી રીતે મનાવી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સુરંગી ગામના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, ઔદ્યોગિક એકમના પ્રતિનિધિ, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, દુકાનદારો, વેપારીઓ સાથે અલગ અલગ બેઠક કરવામાં આવી હતી.

Related posts

વાપી ગુંજનમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ ઓથોરિટીએ ડિમોલિશન કાર્યવાહી કરી

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્ર

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા શૈક્ષણિક સત્રથી પાંચ સરકારી શાળામાં શરૂ થશે સી.બી.એસ.ઈ.નું નવમું ધોરણ

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

Leave a Comment