Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09
ચીખલી તાલુકામાં પણ 148 જેટલાં આરોગ્‍ય કર્મચારીઓ પડતર પ્રશ્નોનોની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા આરોગ્‍ય સેવાઓને વિપરીત અસર થવા પામી છે.
આરોગ્‍ય કર્મચારીઓ 1900 ગ્રેડ પેનાં સ્‍થાને 2800 ગ્રેડ પે, ફેરણી ભથ્‍થું, કોરોના મહામારીમાં જાહેર રજાઓ અને રવિવાર સહિત 98 દિવસનું કોરોના ભથ્‍થું સહિતની માંગણીઓ બાબતે આગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા બાહેંધરી પણ આપવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી એક પણ માંગણીનું સંતોષકારક નિરાકરણ નહીં આવતાં નવસારી જિલ્લા આરોગ્‍ય કર્મચારી મંડળના પ્રમુખ યોગેશભાઈ, મંત્રી વિજયભાઈ સહિતના પ્રમુખ દ્વારા તાલુકાના આરોગ્‍ય અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
તાલુકાના 12 જેટલાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનાં મલ્‍ટી તેમજ સુપર વાઈઝર, ફ્રીમેલ હેલ્‍થ સુપર સુપરવાઈઝર, હેલ્‍થ વર્કર સહિતનાં 148 જેટલાં આરોગ્‍ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાતા તાલુકામાં આરોગ્‍ય સેવા ખોરવાવા પામી છે. આરોગ્‍ય કર્મચારીઓ હડતાલમાં જોડાતા કોરોના વેક્‍સિન, મમતા દિવસ અંતગર્ત સગર્ભા બહેનો અને નાના બાળકોને રસીકરણની કામગીરી, ફિલ્‍ડ સર્વેલન્‍સ મલેરીયા, ડેન્‍ગ્‍યુ, લેપ્‍ટોસ્‍પાયરોસિસ , પ્રધામંત્રીશ્રી જન આરોગ્‍ય યોજના,માતૃ બાળ કલ્‍યાણ યોજના જેવી વિવિધ આરોગ્‍ય લક્ષી કામગીરી પર અસર વર્તાવા પામી છે.
હાલમાં અસહ્ય બફારા સાથેના ઉકળાટ ભરાતા વાતાવરણમાં શરદી, ખાંસી, તાવ સહિતની બીમારીઓનું પ્રમાણ પણ વધુ છે. તેવામાં આરોગ્‍ય કર્મચારીઓની હડતાલને પગલે લોકોને મોટી હાલાકી વેઠવાની નોબત આવી છે. તાલુકામાં તલાટી કમ મંત્રી ઓ બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પણ હડતાલ પર ઊતરતાં આમપ્રજાની વધુ એક મુશ્‍કેલીઓનો વધારો થવા પામ્‍યો છે.
————–

Related posts

પારડી શહેર તથા પારડી તાલુકાના ધોડિયા સમાજ દ્વારા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો યોજાયો શુભેચ્‍છા સમારંભ

vartmanpravah

શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા દુણેઠા ગ્રા.પં.ના હોલમાં ગરબા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

vartmanpravah

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ દિવસ નિમિત્તે કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

સુરત-વેસુ-ફોનિક્ષટાવર-વિજયરામચન્‍દ્રસૂરિ આરાધનાભવને જૈનાચાર્યશ્રી વિજયમુક્‍તિપ્રભસૂરિજીનો જૈન સંઘને ચાતુર્માસના અંતિમ દિને અંતિમ સંદેશ

vartmanpravah

Leave a Comment