March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

વિવિધ સમાજના પ્રમુખો-અગ્રણીઓ ન.પા.પ્રમુખ, જી.પં. અને તા.પં.ના સભ્‍યો-સરપંચો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09
આજે વલસાડ જિલ્લભરમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિવસની કરવામાં આવી હતી. તે અનુસંધાનમાં વલસાડ શહેરમાં કલ્‍યાણ બાગ પાસે આદિવાસી દિનની ઉજવણી મોટી સંખ્‍યામાં પધારેલા લોકો અને સમાજના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી.
વલસાડ વિસ્‍તારના સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા આજે મંગળવારે વલસાડ શહેરમાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધોડીયા સમાજ હોલથી લઈ કલ્‍યાણ બાગ સુધી રેલી નીકળી હતી. રેલી કલ્‍યાણબાગે સમાપ્ત થઈ હતી. અહી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. સમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્‍માન પણ કાર્યક્રમમાં કરાયું હતું. વલસાડ ન.પા. પ્રમુખ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સભ્‍યો, વિવિધ ગામોના સરપંચ સહિતના અગ્રણીઓ સાથે મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના લોકો ઉજવણીમાં સ્‍વયંભુ ઉપસ્‍થિત રહ્યા હતા. ઉજવણી કાર્યક્રમમાં અગ્રણીઓએ સમાજની એકતા અને વિકાસ માટે તેમના પ્રવચનોમાં આવહાન કર્યું હતું.
—–

Related posts

વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકરતા ચીખલી તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે

vartmanpravah

સુરતથી વાપી જઈરહેલ કોલસા ભરેલ ડમ્‍પરે મોતીવાડા પાસે પલટી મારી : હાઈવેના બંને ટ્રેક પર કોલસાઓ વિખેરાયા

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાદરા નગર હવેલીનું 57.36 ટકા પરિણામ

vartmanpravah

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment