April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

વિવિધ સમાજના પ્રમુખો-અગ્રણીઓ ન.પા.પ્રમુખ, જી.પં. અને તા.પં.ના સભ્‍યો-સરપંચો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09
આજે વલસાડ જિલ્લભરમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિવસની કરવામાં આવી હતી. તે અનુસંધાનમાં વલસાડ શહેરમાં કલ્‍યાણ બાગ પાસે આદિવાસી દિનની ઉજવણી મોટી સંખ્‍યામાં પધારેલા લોકો અને સમાજના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી.
વલસાડ વિસ્‍તારના સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા આજે મંગળવારે વલસાડ શહેરમાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધોડીયા સમાજ હોલથી લઈ કલ્‍યાણ બાગ સુધી રેલી નીકળી હતી. રેલી કલ્‍યાણબાગે સમાપ્ત થઈ હતી. અહી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. સમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ અધિકારીઓનું સન્‍માન પણ કાર્યક્રમમાં કરાયું હતું. વલસાડ ન.પા. પ્રમુખ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સભ્‍યો, વિવિધ ગામોના સરપંચ સહિતના અગ્રણીઓ સાથે મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના લોકો ઉજવણીમાં સ્‍વયંભુ ઉપસ્‍થિત રહ્યા હતા. ઉજવણી કાર્યક્રમમાં અગ્રણીઓએ સમાજની એકતા અને વિકાસ માટે તેમના પ્રવચનોમાં આવહાન કર્યું હતું.
—–

Related posts

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ: 4 ઓગસ્‍ટે ડોંબિવલીકર ફ્રેન્‍ડશીપ મેરેથોન સાથે હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ 300મી હાફ મેરેથોન પૂર્ણ કરી

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વલસાડના તિથલ સ્‍વામિનારાયણ મંદિરે રજત જયંતિ નિમિત્તે 2525 વાનગીઓનો ભવ્‍ય અન્નકૂટ ઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

vartmanpravah

વાપી મહાનગરપાલિકા બનવાના એંધાણ: પાલિકા આગળ મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્‍યું

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment