February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ડુંગરા ભંગારના ગોડાઉનમાં આગ લાગી

ત્રણ ફાયર ફાઈટરોએ જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.09
વાપી ડુંગરામાં આજે વહેલી સવારે એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી ડુંગરા મુસા રેસીડેન્‍સી પાસે આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભિષણ આગ લાગી હતી. ગોડાઉનનો દરવાજો ખુલ્લો હતો. આગની જાણ થતા લોકો દોડી આવ્‍યા હતા. વાપી ટાઉન અને જી.આઈ.ડી.સી.ના ત્રણ બંબા ઘટના સ્‍થળે ધસી આવ્‍યા હતા. ગોડાઉનમાં પુઠાના બોક્ષ અને પેપરનો વેસ્‍ટ ભરેલો હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્‍વરૂપ પકડી લીધું હતું. ફાયર બ્રિગેડના લશ્‍કરોએ જહેમત કરીને આગ બુઝાવી દીધી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી તેમજ આગમાં કોઈ જાનહાની કે હતાહત થઈ નહોતી.

Related posts

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

અમદાવાદથી કર્ણાટક જતી લક્‍ઝરી ખડકી પાસે બળીને ખાક

vartmanpravah

વાપી ચલા પ્રમુખ ઓરા ટાઉનશીપ ફલેટ ધારકોનો ડેવલોપર વિરૂધ્‍ધ હલ્લાબોલ : મામલો ઉગ્ર બનતા પોલીસ દોડી

vartmanpravah

સંઘપ્રદેશના દાનહના ગુજરાતી માધ્‍યમના શિક્ષક શ્‍યામ સુંદર રામચંદ ખાનચંદાનીનું મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા સન્‍માન

vartmanpravah

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

Leave a Comment