July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

શાકભાજી વેચવા બેસેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝુંટવી બાઈક પર આવેલા બે યુવાનો ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: ઉમરગામના ખતલવાડામાં સાંજના સમયે ચેઈન સ્‍નેચિંગની ઘટના બનવા પામી છે. બાઈક પર આવેલા બે યુવાનો શાકભાજી વેચવા બેસેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન આચકી ફરાર થઈ જતા ચકચાર સાથે અસલામતી ભર્યું વાતાવરણ સર્જાવા પામ્‍યું છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ખતલવાડા ગામે કામરવાડ વિસ્‍તારમાં રહેતી ઉષાબેન જમનાદાસ કામળી ઉંમર વર્ષ 58 રાબેતા મુજબ શાકભાજી વેચવા માટે બજારમાં આવી હતીઅને એમના વેચવાના સ્‍થળે બેસીને શાકભાજી વેચી રહી હતી તે સમય દરમિયાન એક ચોર ઈસમ શાકભાજી લેવાના બહાને મહિલા પાસે આવ્‍યો હતો. અને તકનો લાભ મેળવી મહિલાએ ગળામાં પહેરેલી રૂપિયા 55000 કિંમતની સોનાની ચેઈન ઝૂંટવી બાજુમાં ઉભેલ કાળા કલરની બાઈક સાથે એમના જોડીદાર સાથે ભાગી છુટયો હતો. બંને સ્‍નેચરો અંદાજિત 30 થી 35 વર્ષની ઉંમરના તેમજ ગુજરાતી ભાષા બોલતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટનાની ફરિયાદ ઉમરગામ પોલીસ મથક આપતા આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

ધરમપુરના સામરસિંગી ગામે પ્રાકૃતિક ખેતીની ખેડૂત શાળા યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 26 જાન્‍યુ.એ ગૌરવની ઘડીનું થનારૂં સર્જન : સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હીના રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં દમણ-દીવના ટેબ્‍લોને મળેલું સ્‍થાન 

vartmanpravah

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

vartmanpravah

નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રીએ ગંગા આરતીમાં હાજરી આપી, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે બેઠક કરી અને કાશીમાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ?

vartmanpravah

Leave a Comment