ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે ખેરગામ, ગણદેવી, ચીખલી તાલુકાઓમાં બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોના માથે આફત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.06: હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના ચીખલી, ગણદેવી, ખેરગામ, બીલીમોરા પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે સોમવારના રોજ બપોરના સમયે કાળા વાદળો છવાઈ જવા સાથે પવનના સુસુવાટા સાથઈ વરસાદનુંધીમીધારે આગમન થયું હતું અને અડધો કલાક સતત વરસાદને પગલે માર્ગો પરથી પાણી વહેતું થઈ ગયું હતું અને ભર ઉનાળે રીતસરનો ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદથી કેરી ચીકુ જેવા બાગાયતી પાકોમાં ફૂગ જન્ય રોગોનું પ્રમાણ વધવા સાથે નુકસાનની ભીતિ સેવાય રહી છે. કમોસમી વરસાદના કારણે ખેરગામ, ચીખલી, ગણદેવી, બીલીમોરા તાલુકાઓમાં બાગાયતી પાકોને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોના માથે આફત આવી પડી છે. આ ઉપરાંત કમોસમી વરસાદથી અન્ય વ્યવસાયોને પણ અસર થવા પામી હતી. હોળીના પર્વ ટાણે વરસાદના આગમનથી વાતાવરણમાં એક સમયે ઠંડક પ્રસરી હતી.