Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર વાપીના દંપતિનું બાઈક ખાડામાં પટકાયું હતું : સારવારમાં પત્‍નીએ દમ તોડયો

છીરીથી સંતોષકુમાર પત્‍ની સુનયના દેવી સાથે બિલીમોરા દર્શન કરવા નિકળ્‍યો હતો : બાઈક ખાડામાં પટકાતા ઘાયલ પત્‍ની સારવારમાં ખસેડાઈ હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
વાપી વલસાડ નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર પડી ગયેલા ખાડાઓને લીધે અનેક અકસ્‍માતો સર્જાયા છે તેમજ પાંચ નિર્દોષોએ જીવ ગુમાવ્‍યા છે. તેવો વધુ એક ભોગ હાઈવેના ખાડાઓએ લીધો છે. વાપીથી બિલીમોરા દર્શન કરવા નિકળેલ દંપતિનું બાઈક વલસાડ હાઈવે પર ખાડામાં પટકાતા પત્‍ની બાઈક ઉપરથી નીચે પટકાઈ હતી. 6 દિવસની સારવાર બાદ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પત્‍ની અંતિમ શ્વાસ લીધો હતો.
વાપી છીરી જલારામ નગરમાં રહેતો સંતોષકુમાર રાજદેવ સીંગ ગત 03 ઓગસ્‍ટના રોજ બિલીમોરા મહાદેવના દર્શન માટે પત્‍ની સુનયનાદેવી સાથે બાઈક ઉપર નિકળ્‍યો હતો. વલસાડ હાઈવે મોટી સરણ શિવમ હોટલ સામે સંતોષનું બાઈક અચાનક ખાડામાં પટકાતા પાછળ બેઠેલી પત્‍ની સુનયના નીચે પટકાઈ હતી. માથા અને કાનમાં ગંભીર ઈજા પહોંચતા સ્‍થાનિકોએ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડી હતી. સારવારના છટ્‍ઠા દિવસે સુનયનાએ આઈ.સી.યુ.માં અંતિમ શ્વાસ લીધા. ઘટના અંગે ડુંગરી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

મોરાઈમાં કાર્યરત આર.ઓ.બી.નો સ્‍લેબ ધરાશાયી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર કલ્‍પનાતીત વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment