March 4, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

  • દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા ગોપાલ દાદાએ આપેલી માહિતીઃ આજથી મચ્‍છીમારીની નવી સિઝનનો પણ થનારો આરંભ 

  • આજે સમુદ્ર નારાયણ મંદિર ખાતે પણ થનારી અતિ ભવ્‍ય મહા આરતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10: ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબ દમણ દ્વારા આવતી કાલ તા.11મી ઓગસ્‍ટના રોજ નાની દમણ જેટી ખાતે ભવ્‍ય નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ મનાવવામાં આવશે. દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)એ કાર્યક્રમની માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આવતી કાલે સાંજે 5:00 વાગ્‍યે નાની દમણ જેટી ખાતે માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબના સંયુક્‍ત પ્રયાસથી નારિયેળી પૂર્ણિમાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. જેમાં વર્ષોથી માછી સમાજની પરંપરા મુજબ સમાજના લોકો દ્વારા સમુદ્ર દેવની પૂજા-અર્ચના કરી નારિયેળ અર્પણ કરશે. નારિયેળી પૂર્ણિમાના દિવસથી મચ્‍છીમારી માટેની નવી મૌસમ પણ શરૂ થતી હોવાથી માછીમારો પોતાના વ્‍યવસાયમાં ઉન્નતિની કામનાની સાથે પ્રદેશ અને દેશની સુખ-શાંતિતથા ખુશાલીની પણ કામના કરશે.
દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા શ્રી ગોપાલ દાદાએ જણાવ્‍યું હતું કે, નારિયેળી પૂર્ણિમાના કાર્યક્રમમાં સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતી પણ કરવામાં આવશે. જેમાં માછી સમાજના લોકોની સાથે અન્‍ય સમાજના આગેવાનો અને પ્રતિષ્‍ઠિત નાગરિકો પણ સામેલ થશે.

Related posts

પારડીના એક નામચીન વ્યક્તિની પત્નીને મેમો આપવાનું ભારે પડ્યુંઃ વહેલી સવારે પારડી ઓવરબ્રિજ નીચે બાઈક મૂકી જતા નોકરિયાતો દંડાયા

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

vartmanpravah

વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

ઉમરગામમાં એસીબીની લગાતાર બીજી સફળ ટ્રેપ

vartmanpravah

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

Leave a Comment