Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

વલસાડ, વાપી, પારડી, ધરમપુર, ઉમરગામ અને કપરાડા બાર આસોસિએશન વકીલો જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: ભારત દેશ આ વર્ષ આઝાદીના 75 વર્ષ પુરા થયા તેથી આઝાદી કા અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરી રહ્યો છે. શાળા, કોલેજો, સામાજીક સંસ્‍થા દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રાઓ નિકળી રહી છે. લોકો આઝાદીનો દિવસ આન બાન અને શાનથી ઉજવી રહ્યો છે. આ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી વલસાડ જિલ્લાના તમામ બાર એસોસિએશને કરી હતી. જેમાં વાપી, વલસાડ, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડાના વકીલો તમામ શહેરોમાં એક જ સમયે તિરંગા રેલી કાઢીને શહેરોમાં ફરી ભારત માતાનો જય જયકાર કર્યો હતો.
આઝાદી સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં વકીલોનું બહુ મોટું યોગદાન રહેલું છે. દેશની પ્રથમ સંસદમાં પણ મોટા પ્રમાણમાં વકીલો સંસદ સભ્‍ય બન્‍યા હતા તેવું જણાવતા વલસાડ બાર એસોસિએશન પ્રમુખ પ્રવિણભાઈ પટેલએ તિરંગા રેલીના આયોજન પાછળનો મહિમા વર્ણવ્‍યો હતો. વાપીમાં બાર એસો.ના પ્રમુખ શૈલેષ મહેતાની આગેવાની હેઠળ આજે તિરંગા યાત્રા મોટર સાયકલ સ્‍કૂટરો ઉપર નિકળી હતી. વાપી કોર્ટથી પ્રારંભ થયેલી રેલી છરવાડારોડ, હરિયા હોસ્‍પિટલ થઈ અંબામાતા મંદિર થઈ ગુંજનથી પરત કોર્ટમાં પહોંચી હતી. સમુહ રાષ્‍ટ્રગાન બાદ તિરંગા રેલી સમાપ્ત થઈ હતી. જિલ્લાના તમામ બાર એસોસિએશનો દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

તિઘરામાં પારડી પોલીસની રેઈડ: પાંચ જુગારીયાઓ રૂા.67510 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપ્‍યા

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને ખાદ્ય વસ્‍તુઓ બનાવવાની ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah

હાઈવે ઉદવાડા-વલસાડ ટ્રેક ઉપર કન્‍ટેનરથી ટ્રેલર છૂટું પડી જતા ચાર-પાંચ વાહનોને અડફેટમાં લીધા

vartmanpravah

પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદ, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હિમાચલ પ્રદેશના રાજ્‍યપાલ રાજેન્‍દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્રના લગ્નમાં આપેલી હાજરી

vartmanpravah

Leave a Comment