February 4, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

રાજસ્‍થાન ભવન સેલવાસ રોડ ખાતેયોજાનાર રક્‍તદાન શિબિરમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
વાપીના પૂર્વ નગરસેવિકા અને સમાજ સેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ આવતીકાલ તા.30ને શનિવારના રોજ રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સેલવાસ રોડ રાજસ્‍થાન ભવન ખાતે રક્‍તદાન શિબિર યોજાનાર છે.
રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા શનિવારે યોજાનાર રક્‍તદાન શિબિર સવારે 9:30 થી સાંજના 5:00 કલાક સુધી કાર્યરત રહેશે. ન્‍યુકેમ રોટરી બ્‍લડ બેંક અને પુરીબેન પોપટલાખા લાયન્‍સ બ્‍લડ બેંક, રેડક્રોસ સોસાયટી સેલવાસ, માનવ આરોગ્‍ય કેન્‍દ્ર પારડી, ખાસ ઉપસ્‍થિત રહેનાર છે. આ પ્રસંગે સહયોગી રક્‍તદાતા અને સંસ્‍થાઓનું સન્‍માન કરવામાં આવનાર છે. રક્‍તદાન કાર્યક્રમમાં નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો.કે.સી. પટેલ, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મુકેશ દધિચ, દમણ જિ.પં. પ્રમુખ નવિન પટેલ, રાજસમંદ જિલ્લા પંચાયત પ્રમુખ રતન માધવ ચૌધરી, વાપી ન.પા. પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ જેવા અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહીને રક્‍તદાન શિબિરને સફળ બનાવશે.

Related posts

સંઘપ્રદેશ વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી દમણમાં નમો પથ ઉપર શાળાના વિદ્યાર્થીઓની યોજાયેલી રેલીઃ દેવકા ઈકો પાર્ક ખાતે વન ભોજનના કાર્યક્રમનું પણ કરાયેલું આયોજન

vartmanpravah

જો પંચાયતો જ દમણ-દીવને વિધાનસભા સહિતના ઠરાવો કરતી રહેશે તો એમ.પી.સાહેબ સંસદમાં તમારૂં શું કામ..?

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

વલસાડને મળ્યુ કેવડીયા-ચેન્નઈ ઍક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

ચણોદ કોલોની સ્‍થિત સેન્‍ટ મેરી સ્‍કૂલમાં કબડ્ડી સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment