Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

રાજસ્‍થાન ભવન સેલવાસ રોડ ખાતેયોજાનાર રક્‍તદાન શિબિરમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
વાપીના પૂર્વ નગરસેવિકા અને સમાજ સેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ આવતીકાલ તા.30ને શનિવારના રોજ રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સેલવાસ રોડ રાજસ્‍થાન ભવન ખાતે રક્‍તદાન શિબિર યોજાનાર છે.
રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા શનિવારે યોજાનાર રક્‍તદાન શિબિર સવારે 9:30 થી સાંજના 5:00 કલાક સુધી કાર્યરત રહેશે. ન્‍યુકેમ રોટરી બ્‍લડ બેંક અને પુરીબેન પોપટલાખા લાયન્‍સ બ્‍લડ બેંક, રેડક્રોસ સોસાયટી સેલવાસ, માનવ આરોગ્‍ય કેન્‍દ્ર પારડી, ખાસ ઉપસ્‍થિત રહેનાર છે. આ પ્રસંગે સહયોગી રક્‍તદાતા અને સંસ્‍થાઓનું સન્‍માન કરવામાં આવનાર છે. રક્‍તદાન કાર્યક્રમમાં નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો.કે.સી. પટેલ, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મુકેશ દધિચ, દમણ જિ.પં. પ્રમુખ નવિન પટેલ, રાજસમંદ જિલ્લા પંચાયત પ્રમુખ રતન માધવ ચૌધરી, વાપી ન.પા. પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ જેવા અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહીને રક્‍તદાન શિબિરને સફળ બનાવશે.

Related posts

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સની બેઠક મળી

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

vartmanpravah

vartmanpravah

દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત પ્રયાસથી દમણ કોર્ટ પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

vartmanpravah

વાપી રમઝાનવાડી બિલખાડીમાં પડી ગયેલ ગૌમાતાને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાઈ

vartmanpravah

Leave a Comment