Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમને સફળ બનાવવા ડાભેલ વિદ્યાલયમાં મહારેલીનું કરવામાં આવેલું આયજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા ડાભેલમાં આપણા દેશના 7પ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત મહારેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રેલીનું આયોજન પ્રાથમિક શાળાના મુખ્‍ય શિક્ષક શ્રીમતી ઈન્‍દિરાબેન પટેલ અને ઉચ્‍ચ પ્રાથમિકના મુખ્‍ય શિક્ષક શ્રી બ્રિજેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સમગ્ર શાળાના પટાંગણમાં રાષ્‍ટ્રધ્‍વજ લગાવીને સ્‍વતંત્રતાના અમૃત મહોત્‍સવની શરૂઆત કરી હતી. ભારતની આઝાદીના 7પ અને અમૃત મહોત્‍સવ વિશે શાળાના શિક્ષક શ્રી કિરીટભાઈ ભંડારીએ સમજાવ્‍યું હતું. શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈની આગેવાની હેઠળ 600 વિદ્યાર્થીઓ સાથે મહારેલીકાઢવામાં આવી હતી. આ સાથે શિક્ષકો ભારતીબેન અને બિનાબેનના માર્ગદર્શન હેઠળ આજે શાળામાં તમામ વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ધોરણ-પની વિદ્યાર્થીની અદિતિ રામેશ્વર અને દ્વિતીય ક્રમે કાજલ યોગેન્‍દ્ર રહી હતી.
આઝાદીના અમૃત મહોત્‍સવની મહારેલીને સફળ બનાવવા શાળાના શિક્ષકો શ્રી કિરીટભાઈ, શ્રી જગદીશભાઈ, ભારતીબેન, બીનાબેન, ધર્મિષ્‍ઠાબેન, હેતલબેન, ચિરાગીબેન, ચૈતાલીબેન, શ્રી રવિન્‍દ્રભાઈ અને શ્રી રમેશચંદ્રનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
—-

Related posts

રાજકોટના અગ્નિકાંડ બાદ ચીખલીમાં મલ્‍ટી કોમ્‍પલેક્‍સ, મોલ, હોસ્‍પિટલ, હોટેલોમાંફાયર સેફટીની ચકાસણી કરવા ઉઠેલી માંગ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનના પગલે પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશમાં દીવ જિલ્લાને કુપોષણ મુક્‍ત બનાવવા ચલાવાઈ રહેલી વ્‍યાપક ઝુંબેશ

vartmanpravah

સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્‍ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ખાનવેલ પોલીસે ઉદ્યોગપતિઓ સાથે વિવિધ મુદ્દાઓના સંદર્ભમાં કરેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment