Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમને સફળ બનાવવા ડાભેલ વિદ્યાલયમાં મહારેલીનું કરવામાં આવેલું આયજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા ડાભેલમાં આપણા દેશના 7પ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત મહારેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રેલીનું આયોજન પ્રાથમિક શાળાના મુખ્‍ય શિક્ષક શ્રીમતી ઈન્‍દિરાબેન પટેલ અને ઉચ્‍ચ પ્રાથમિકના મુખ્‍ય શિક્ષક શ્રી બ્રિજેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સમગ્ર શાળાના પટાંગણમાં રાષ્‍ટ્રધ્‍વજ લગાવીને સ્‍વતંત્રતાના અમૃત મહોત્‍સવની શરૂઆત કરી હતી. ભારતની આઝાદીના 7પ અને અમૃત મહોત્‍સવ વિશે શાળાના શિક્ષક શ્રી કિરીટભાઈ ભંડારીએ સમજાવ્‍યું હતું. શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈની આગેવાની હેઠળ 600 વિદ્યાર્થીઓ સાથે મહારેલીકાઢવામાં આવી હતી. આ સાથે શિક્ષકો ભારતીબેન અને બિનાબેનના માર્ગદર્શન હેઠળ આજે શાળામાં તમામ વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ધોરણ-પની વિદ્યાર્થીની અદિતિ રામેશ્વર અને દ્વિતીય ક્રમે કાજલ યોગેન્‍દ્ર રહી હતી.
આઝાદીના અમૃત મહોત્‍સવની મહારેલીને સફળ બનાવવા શાળાના શિક્ષકો શ્રી કિરીટભાઈ, શ્રી જગદીશભાઈ, ભારતીબેન, બીનાબેન, ધર્મિષ્‍ઠાબેન, હેતલબેન, ચિરાગીબેન, ચૈતાલીબેન, શ્રી રવિન્‍દ્રભાઈ અને શ્રી રમેશચંદ્રનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
—-

Related posts

વાપીમાં હેડફોન લગાવી રેલવે ટ્રેક ક્રોસ કરતા વિદ્યાર્થીનું ટ્રેન અડફેટમાં મોત

vartmanpravah

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતિમ ચરણમાં ખતલવાડા ગામમાં પહોંચી, રૂ. 32.38 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

ખોટી ભ્રામક વાતોથી છેતરાયા હોવાનો લોકોને અહેસાસ થતાં દમણ-દીવમાં આજે જો ચૂંટણી થાય તો ભાજપ પ્રચંડ બહુમતિથી વિજયી બનેઃ ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

Leave a Comment