April 18, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

  • મોટી દમણના લાઈટ હાઉસ બીચ નજીક એમ્‍ફીથિએટર ખાતે ઉપસ્‍થિત જનમેદનીએ મૌન પાળી સામાજિક સદ્‌ભાવ અને માનવ સશક્‍તિકરણની ભાવનાને ઔર મજબુત બનાવવા કરેલો સંકલ્‍પ

  • સાંસદ લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નવિનભાઈ પટેલ, નગરપાલિકા અધ્‍યક્ષ સોનલબેન પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, ઔદ્યોગિક આલમના પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ તથા આમ નાગરિકોની રહેલી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાન પર, ભારત આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી કરી રહ્યો છે. સાથે જ દેશના ભાગલાની પીડાને ભૂલવી મુશ્‍કેલ છે. દેશના વિભાજનની ભયાનકતાને યાદ કરવા માટે, વડાપ્‍રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 14 ઓગસ્‍ટને ‘વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આજે દમણમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે એમ્‍ફીથિયેટર, ન્‍યુ લાઈટ હાઉસ પાસે સાંજે5 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ‘વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ વિશે માહિતી આપતા પ્રદર્શનનું અનાવરણ કર્યું હતું. આ પછી કેટલાક કલાકારોએ દેશભક્‍તિના ગીતો ગાઈને મહેલને દેશભક્‍તિનો માહોલ બનાવ્‍યો હતો. આ ક્રમમાં બે મિનિટનું મૌન પાળીને સૌએ ભાગલા સમયે લોકોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સૌએ એકસાથે રાષ્‍ટ્રગીત ગાયું હતું. ત્‍યાર બાદ એક મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, રાજ્‍યના અધિકારીઓ, તમામ સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. આ મૌન રેલી એમ્‍ફીથિયેટરથી કિલ્લાના મુખ્‍ય પ્રવેશદ્વાર સુધી સંપન્ન થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 1947માં વિભાજન દરમિયાન ભારતીયોની વેદનાઓ અને બલિદાનોની યાદ અપાવવા માટે 14મી ઓગસ્‍ટને વિભાજનની ભયાનકતા સ્‍મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સામાજિક વિભાજન, દુશ્‍મનાવટના ઝેરને દૂર કરવાનો અને એકતા, સામાજિકસમરસતા અને માનવ સશક્‍તિકરણની ભાવનાને વધુ મજબૂત કરવાની જરૂરિયાતની યાદ અપાવવાનો છે.
કાર્યક્રમનું સંચાલન આરોગ્‍ય વિભાગના એકાઉન્‍ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન પરમારે ખુબ જ ઉત્‍કૃષ્‍ટ રીતે કર્યું હતું.

Related posts

સંઘપ્રદેશની દરેક ગ્રામ પંચાયતોમાં પૂર્ણ સમયના સેક્રેટરી-ગ્રામ સેવકોની નિમણૂકઃ પંચાયતી રાજ મજબુત બનશે

vartmanpravah

વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્‍જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્‍યો

vartmanpravah

આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપી દ્વારા આંતર કોલેજ વ્‍યાખ્‍યાન માળા અંતર્ગત વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

અંતે વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ: સરપંચોની લડત રંગ લાવી : વન વિભાગે આડોડાઈ છોડી

vartmanpravah

ચીખલીના જાણીતા તબીબ હોસ્‍પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

Leave a Comment