વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવનું ખૂબ ધામધૂમથી આયોજન થયું હતું. જેમાં નાના બાળકોએ બાલકળષ્ણની બાળલીલાની ઝાંકીનું પ્રદર્શન કરી બધાને આનંદવિભોર કરી દીધા હતા. શાળાના પ્રિન્સિપાલ પ્રીતિબેન રાજપાલ તથા વી.એચ. રાજપાલે બાળકોને પ્રોત્સાહિત ગિફટ આપી હતી તેમજ દહીહાંડીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા પ્રીતિબેન રાજપાલ વી.એચ. રાજપાલ તથા સ્ટાફના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી ઉમળકાભેર પ્રોગ્રામને દિપાવી દીધો હતો.