Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ઉમેદવારો અને ટેકેદારોની મંગળવાર સુધી આશા અને અજંપામાં ગુજરનારી રાતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે ઉમેદવારો ટેકેદારો અને પક્ષ માટે મંગળવારના મત ગણતરી સુધી આશા અને અજંપો યથાવત રહેશે. ઉમેદવારો અને ટેકેદારો પોતપોતાની જીતના દાવાઓ રજૂ કરી ગુલાબી ચિત્ર ઉપસાવવાની પણ કોશિષ કરશે. પરંતુ મતદારોએ આપેલો ચુકાદો ઈવીએમમાં કેદ થઈ ચુક્‍યો હોવાથી મંગળવારે મત ગણતરી બાદ જ પરિણામ સ્‍પષ્‍ટ બનશે.
સંઘપ્રદેશ પ્રશાસને લોકસભાની પેટા ચૂંટણી ભયમુક્‍ત, પારદર્શક અને તટસ્‍થ રીતે યોજવા કરેલી તમામ કવાયત સફળ રહી છે. કોઈ પણ પ્રકારનો અનિચ્‍છનીય બનાવ અત્‍યાર સુધી નોંધાયો નથી.

Related posts

વાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારી

vartmanpravah

નમો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિતેશ કન્‍હૈયા ઝાએ સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

નાનાપોંઢા નાસિક માર્ગ અને ચિવલ નજીક રોડ ઉપર અકસ્‍માતમાં બે મોત

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલી ખાતે રૂા. 304 લાખના ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત રાજ્‍યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરાયું

vartmanpravah

ઓઝર ગામે ગુજરાત અને સંઘ પ્રદેશને જોડતો માર્ગ ઉપર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવ્‍યું બાંધકામ

vartmanpravah

Leave a Comment