September 1, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી નજીક દેગામ પંચાયતનાચૂંટણી વોર્ડ સભ્‍ય ઉમેદવાર અને પૂર્વ સરપંચ પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગૂમ

પૂર્વ સરપંચ રમણભાઈ હળપતિ અને આ વખતે સભ્‍ય તરીકેના ઉમેદવાર હતા ગત તા.16/12/2021ના રોજ વાપી બાદ ગુમ થઈ ગયા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
વાપી નજીક આવેલ દેગામમાં રહેતા અને પંચાયત ચૂંટણીમાં સભ્‍ય તરીકે ચૂંટણી લડી રહેલા તેમજ પૂર્વ સરપંચ એવા રમણભાઈ હળપતિ છેલ્લા પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગુમ થઈ ગયા હોવાથી સરપંચની ચૂંટણી લડી રહેલ પત્‍ની અને પરિવાર ઉપર આફત આવી પડયાની સ્‍થિતિમાં મુકાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી પાસે આવેલ દેગામ ગામે રહેતા રમણભાઈ હળપતિ આ વખતે પંચાયતની ચૂંટણીમાં વોર્ડ સભ્‍યની ચૂંટણી લડી રહ્યા હતા. ગત તા. 16ને ગુરુવારે કોઈ કામ હેતુ તેઓ ઘરેથી વાપી જવા નિકળ્‍યા હતા. પરત આવતા જમાઈ કરવડ સુધી મુકી ગયા હતા. ત્‍યાર પછી તેઓ આજદિન સુધી ઘરે પહોંચ્‍યા નથી. અચાનક ચૂંટણી માહોલ વચ્‍ચે રહસ્‍યમ રીતે અચાનક ગુમ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે દેગામ પંચાયતની તાજેતરની ચૂંટણીમાં મહિલા અનામત બેઠક હોવાથી તેમના પત્‍ની સવિતાબેન હળપતિ પણ સરપંચ પદે ચૂંટણી લડયા છે. તેમની પૂત્રી પણ વોર્ડ સભ્‍ય તરીકે ચૂંટણી લડી રહી છે. એવા સંજોગો વચ્‍ચે ભેદી રીતેરમણભાઈનું અચાનક ગુમ થવું એ ઘટનાએ પરિવારને હચમચાવી મુક્‍યો છે.
હાલ તો પરિવારે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જાણવા જોગ એન્‍ટ્રી પાડી આગળની તપાસ કરી રહી છે. ઘટનાની પાછળ સ્‍થાનિક રાજકરણ તો જવાબદાર નથીને તેવી ચર્ચાઓ પણ ગામમાં ચાલી રહી છે. પરિવાર પાંચ દિવસથી ખાતો-પિતો નથી, ચિંતામાં ડૂબી ગયો છે.

Related posts

‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

બિલિમોરાની ‘નારી સેના’ દ્વારા બામણવેલ વિદ્યાલયમાં સ્‍વેટર વિતરણ કરાયI

vartmanpravah

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

વાપી ડુંગરામાં ઘરમાં ઘૂસી બે લૂંટારુઓએ ચપ્‍પુથી હુમલો કરી મહિલાને રૂમમાં પુરી ઘરેણાની લૂંટ કરી

vartmanpravah

વરસાદની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે દાદરા નગર હવેલી અને દમણના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને આપવામાં આવી તાલીમ

vartmanpravah

વાપીમાં પ્રબુદ્ય નાગરિક સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જાહેર ર જીવન ઉપર લખાયેલ પુસ્‍તક પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

Leave a Comment