(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.21: અનાવિલ સમાજ અને ભાવિ પેઢીમાં આપણી સંસ્કળતિનો વારસો જળવાઈ રહે એ હેતુથી પ્રમુખ ગ્રીન્સ ચલા ખાતેના અનાવિલ પરિવારો દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સિનિયર સિટીઝનોનું સાલ ઓઢાડી સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. નાના બાળકો તથા મહિલાઓએ આ પ્રોગ્રામમાં સાંસ્કળતિક કાર્યક્રમો કરી પ્રોગ્રામની શોભા વધારી હતી. પ્રમુખ ગ્રીન્સ ચલાના અનાવિલ સમાજના મંડળની રચના કરવામાં આવી હતી. જેમાંમંડળના પ્રમુખ તરીકે શ્રી મયુરભાઈ દેસાઈ, સેક્રેટરી તરીકે શ્રી ભાર્ગવભાઈ દેસાઈ તથા ખજાનજી તરીકે શ્રી ઉપેન્દ્રભાઈ દેસાઈની વરણી કરવામાં આવી હતી. સાંસ્કળતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન શ્રી નિમેષભાઈ નાયકએ કર્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવામાં પ્રમુખ ગ્રીન્સના તમામ અનાવિલ પરિવારોએ સાથ સહકાર આપ્યો હતો.