August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: આજરોજ જેસીઆઈ ઓર્ગનાઈઝેશન દ્વારા વર્ષ 2025 માટે નવા નિમાયેલા 32માં પ્રમુખનો સ્‍થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમારોહમાં ચીફ ગેસ્‍ટ તરીકે વાપીના બિઝનેસમેન શ્રી જીગરભાઈ પટેલ, માનનીય મહેમાન તરીકે વાપી છરવાડા ખાતે આવેલ ભારતી બા વિલા રિસોર્ટના ઓનર શ્રી હિંમતસિંહજી બાપુ, જેસીઆઈના જોન વાયસ પ્રેસિડેન્‍ટ શ્રી જેસી ભાવિન શાલુંકે, ઈન્‍ડકશન ઓફિસર તરીકે જેસી શ્રી ડોક્‍ટર પરીત ભટ્ટ, અને જેસીઆઈ લોકપ્રિય કી નોટ સ્‍પીકર જેસી શ્રી કમલેશભાઈ ઠક્કરને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે વર્ષ 2025 માટેના નવા પ્રમુખ જેસી શ્રી ચંદ્રેશ પુરોહિત અને તેમની ટીમનાસભ્‍યો તેમજ જેજે વિંગના ચેરપર્સન જેજે અરનાઝ વણઝારા એ શપથ ગ્રહણ કર્યો હતો. નવા નિમાયેલા હોદ્દેદારોને શુભાકમનાઓ અને આશિર્વાદ આપવા માટે તેમના પરિવારના સભ્‍યો, મિત્રો અને જેસીઆઈના પૂર્વ પ્રમુખોએ પણ હાજરી આપી હતી. જે આ પ્રસંગને નવી ઊર્જા પ્રદાન કરી હતી. વર્ષ 2025 માટે જેસી શ્રી ચંદ્રેશ પુરોહિત, ચેરપર્સન જેજે અરનાઝ વણઝારા અને તેમની ટીમને નવી નિમણૂંક બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં જીંદગી જોખમાય તેવો બાઈક ઉપર સ્‍ટંટ કરનાર યુવાનને ટ્રાફીક પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

સેલવાસમાં એચ.પી. ગેસ એજન્‍સી દ્વારા ગ્રાહકોને સમયસર સિલિન્‍ડર પહોંચાડવા નનૈયો

vartmanpravah

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહ ખાનવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણુક કરતોવિડીયો વાયરલ થતાં સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment