Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કલેક્‍ટર ભાનુ પ્રભા અને પોલીસ અધિક્ષક રાજેન્‍દ્ર પ્રસાદ મીનાની અધ્‍યક્ષતામાં  સેલવાસ સચિવાલયના સભાખંડમાં કેન્‍દ્ર સરકારની ‘અગ્નિપથ’ યોજનાને સફળ બનાવવા હેતુ યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં કેન્‍દ્ર સકારની ‘અગ્નિપથ’ યોજના બાબતે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને પોલીસ અધિક્ષક શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીનાની અધ્‍યક્ષતામાં અને દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખની ઉપસ્‍થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, જિ.પં. સભ્‍યો અને સેલવાસ ન.પા.પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, તથા નગરપાલિકાના સભ્‍યો, ચૂંટાયેલા જન પ્રતિધિનિઓ અને અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠકમાં ‘અગ્નિપથ’ યોજના એ ભારતીય સેના, નેવી, એરફોર્સની ત્રણેય પાંખોમાં અનુક્રમે જવાનો,એરમેન અને ખલાસીઓની જગ્‍યાઓ પર ભરતી માટે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા લાવવામાં આવેલી નવી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી.
દાદરા અને નગર હવેલીના યુવાનો જેમની ઉંમર 17.5 વર્ષથી 23 વર્ષની છે તેઓ અગ્નિપથ યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકે છે. જિલ્લા પ્રશાસને આગામી તા.25 અને 29 ઓગસ્‍ટ, 2022ના રોજ દાદરા અને નગર હવેલીની દરેક પંચાયતોમાં અને 26 અને 28 ઓગસ્‍ટના રોજ દરેક વોર્ડમાં આ યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

Related posts

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્‍પદ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વાપી બલીઠા અવેક્ષા 21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટર ખાતે ફેફસાંના ગાંઠની શસ્ત્રક્રિયામાં મળેલી ચમત્કારિક સફળતા

vartmanpravah

Leave a Comment