February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

નાણામંત્રી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે તલાટી મંડળની યોજાયેલ મીટિંગમાં લેવાયેલ નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23
વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગત તા.04 ઓગસ્‍ટથી તલાટી કમ મંત્રીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ હડતાલનો ગતરોજ સુખદ ઉકેલ આવ્‍યો છે. તલાટી મંડળના આગેવાનો અને પંચાયત મંત્રી, નાણામંત્રીની ગાંધીનગરમાં યોજાયેલી મીટિંગમાં તલાટીઓની પાંચ પૈકી ત્રણ માંગણીઓ સરકારે સ્‍વિકારતા તલાટીઓની હડતાલ સમેટાઈ છે.
ગુજરાત રાજ્‍યમાં તા.04 ઓગસ્‍ટથી સમસ્‍ત તલાટી મંડળ એસોસિએશને કરેલી જાહેરાત બાદ તલાટી કમ મંત્રીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. જેને લઈ લોકોનાઅગત્‍યના કામકાજો ખોરવાઈ ગયા હતા. જન્‍મ-મરણ, આવક કે જાતિ વિષયક દાખલા માટેના કામ રઝળી પડયા હતા તો બીજી તરફ ધરમપુર, વલસાડ તાલુકાના સરપંચોએ પણ તલાટી હડતાલ વિરૂધ્‍ધ અવાજ ઉઠાવી આવેદનપત્રો પાઠવાઈ રહ્યા હતા. મામલો પેચીદો બની રહ્યો હતો. રવિવારે જિલ્લાના તલાટી મંડળના પ્રતિનિધિઓની વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે મીટિંગ યોજાઈ હતી. મીટિંગ બાદ સોમવારે ગાંધીનગરમાં નાણામંત્રી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને તલાટી મંડળના આગેવાની મીટિંગ મળી હતી. જેમાં સરકારે તલાટીઓની કુલ પાંચ માંગણી પૈકીની ત્રણ માંગણી સ્‍વિકાર કરી હતી તેથી તલાટીઓએ હડતાલ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઘનિષ્‍ઠ દરમિયાન લેખે લાગી અને તલાટીઓની છેલ્લા 20 દિવસથી ચાલતી હડતાલનો અંત આવ્‍યો છે.
—-

Related posts

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah

વલસાડ જિલ્લા નાયબ માહિતી નિયામક તરીકે ભાવનાબેન વસાવાએ વિધિવત ચાર્જ સંભાળ્‍યો

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ દમણ અને દાનહના વિકાસને જોઈ પ્રભાવિત ‘‘પ્રફુલ પટેલ નામ હી કાફી હૈ, નામ કા મતલબ કામઃ પ્રદેશના થયેલા અદ્‌ભૂત વિકાસ ઉપર ઉપ રાષ્‍ટ્રપતિની મહોર

vartmanpravah

ધરમપુરના બિલપુડી ગામે દુકાનોમાં જનતા રેડઃ અનેક દુકાનોમાં ઍક્સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થો મળ્યા

vartmanpravah

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah

Leave a Comment