January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

નાણામંત્રી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે તલાટી મંડળની યોજાયેલ મીટિંગમાં લેવાયેલ નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23
વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગત તા.04 ઓગસ્‍ટથી તલાટી કમ મંત્રીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ હડતાલનો ગતરોજ સુખદ ઉકેલ આવ્‍યો છે. તલાટી મંડળના આગેવાનો અને પંચાયત મંત્રી, નાણામંત્રીની ગાંધીનગરમાં યોજાયેલી મીટિંગમાં તલાટીઓની પાંચ પૈકી ત્રણ માંગણીઓ સરકારે સ્‍વિકારતા તલાટીઓની હડતાલ સમેટાઈ છે.
ગુજરાત રાજ્‍યમાં તા.04 ઓગસ્‍ટથી સમસ્‍ત તલાટી મંડળ એસોસિએશને કરેલી જાહેરાત બાદ તલાટી કમ મંત્રીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. જેને લઈ લોકોનાઅગત્‍યના કામકાજો ખોરવાઈ ગયા હતા. જન્‍મ-મરણ, આવક કે જાતિ વિષયક દાખલા માટેના કામ રઝળી પડયા હતા તો બીજી તરફ ધરમપુર, વલસાડ તાલુકાના સરપંચોએ પણ તલાટી હડતાલ વિરૂધ્‍ધ અવાજ ઉઠાવી આવેદનપત્રો પાઠવાઈ રહ્યા હતા. મામલો પેચીદો બની રહ્યો હતો. રવિવારે જિલ્લાના તલાટી મંડળના પ્રતિનિધિઓની વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે મીટિંગ યોજાઈ હતી. મીટિંગ બાદ સોમવારે ગાંધીનગરમાં નાણામંત્રી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને તલાટી મંડળના આગેવાની મીટિંગ મળી હતી. જેમાં સરકારે તલાટીઓની કુલ પાંચ માંગણી પૈકીની ત્રણ માંગણી સ્‍વિકાર કરી હતી તેથી તલાટીઓએ હડતાલ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઘનિષ્‍ઠ દરમિયાન લેખે લાગી અને તલાટીઓની છેલ્લા 20 દિવસથી ચાલતી હડતાલનો અંત આવ્‍યો છે.
—-

Related posts

વલસાડના નનકવાડા ખાતેની શાળામાં આયોજીત સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધોડીપાડા અને માંડા શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્‍યા

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાનઃ વલસાડ જિલ્લામાં 1.65 લાખ ઘર પર તિરંગો લહેરાશે

vartmanpravah

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આજથી ત્રણ દિવસીય દાનહ મુલાકાતનો કાર્યક્રમ

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઓરા દ્વારા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment