April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

નાણામંત્રી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે તલાટી મંડળની યોજાયેલ મીટિંગમાં લેવાયેલ નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23
વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગત તા.04 ઓગસ્‍ટથી તલાટી કમ મંત્રીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ હડતાલનો ગતરોજ સુખદ ઉકેલ આવ્‍યો છે. તલાટી મંડળના આગેવાનો અને પંચાયત મંત્રી, નાણામંત્રીની ગાંધીનગરમાં યોજાયેલી મીટિંગમાં તલાટીઓની પાંચ પૈકી ત્રણ માંગણીઓ સરકારે સ્‍વિકારતા તલાટીઓની હડતાલ સમેટાઈ છે.
ગુજરાત રાજ્‍યમાં તા.04 ઓગસ્‍ટથી સમસ્‍ત તલાટી મંડળ એસોસિએશને કરેલી જાહેરાત બાદ તલાટી કમ મંત્રીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. જેને લઈ લોકોનાઅગત્‍યના કામકાજો ખોરવાઈ ગયા હતા. જન્‍મ-મરણ, આવક કે જાતિ વિષયક દાખલા માટેના કામ રઝળી પડયા હતા તો બીજી તરફ ધરમપુર, વલસાડ તાલુકાના સરપંચોએ પણ તલાટી હડતાલ વિરૂધ્‍ધ અવાજ ઉઠાવી આવેદનપત્રો પાઠવાઈ રહ્યા હતા. મામલો પેચીદો બની રહ્યો હતો. રવિવારે જિલ્લાના તલાટી મંડળના પ્રતિનિધિઓની વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે મીટિંગ યોજાઈ હતી. મીટિંગ બાદ સોમવારે ગાંધીનગરમાં નાણામંત્રી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને તલાટી મંડળના આગેવાની મીટિંગ મળી હતી. જેમાં સરકારે તલાટીઓની કુલ પાંચ માંગણી પૈકીની ત્રણ માંગણી સ્‍વિકાર કરી હતી તેથી તલાટીઓએ હડતાલ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઘનિષ્‍ઠ દરમિયાન લેખે લાગી અને તલાટીઓની છેલ્લા 20 દિવસથી ચાલતી હડતાલનો અંત આવ્‍યો છે.
—-

Related posts

ચીખલીના સારવણીથી બોગસ ડોક્‍ટરને ઝડપતી નવસારી એસઓજી પોલીસ

vartmanpravah

થાણેના સ્‍વાનંદ બાબા આશ્રમમાં આયોજિત હોળી મિલન સમારોહમાં વિપુલ સિંહે પ્રેમની હોળી રમી

vartmanpravah

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

vartmanpravah

રાજકોટના અગ્નિકાંડ બાદ ચીખલીમાં મલ્‍ટી કોમ્‍પલેક્‍સ, મોલ, હોસ્‍પિટલ, હોટેલોમાંફાયર સેફટીની ચકાસણી કરવા ઉઠેલી માંગ

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાઈરિસ્‍ક દેશોમાંથી આવેલા 1086 લોકોને હોમક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

Leave a Comment