October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

નાણામંત્રી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે તલાટી મંડળની યોજાયેલ મીટિંગમાં લેવાયેલ નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23
વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગત તા.04 ઓગસ્‍ટથી તલાટી કમ મંત્રીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ હડતાલનો ગતરોજ સુખદ ઉકેલ આવ્‍યો છે. તલાટી મંડળના આગેવાનો અને પંચાયત મંત્રી, નાણામંત્રીની ગાંધીનગરમાં યોજાયેલી મીટિંગમાં તલાટીઓની પાંચ પૈકી ત્રણ માંગણીઓ સરકારે સ્‍વિકારતા તલાટીઓની હડતાલ સમેટાઈ છે.
ગુજરાત રાજ્‍યમાં તા.04 ઓગસ્‍ટથી સમસ્‍ત તલાટી મંડળ એસોસિએશને કરેલી જાહેરાત બાદ તલાટી કમ મંત્રીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. જેને લઈ લોકોનાઅગત્‍યના કામકાજો ખોરવાઈ ગયા હતા. જન્‍મ-મરણ, આવક કે જાતિ વિષયક દાખલા માટેના કામ રઝળી પડયા હતા તો બીજી તરફ ધરમપુર, વલસાડ તાલુકાના સરપંચોએ પણ તલાટી હડતાલ વિરૂધ્‍ધ અવાજ ઉઠાવી આવેદનપત્રો પાઠવાઈ રહ્યા હતા. મામલો પેચીદો બની રહ્યો હતો. રવિવારે જિલ્લાના તલાટી મંડળના પ્રતિનિધિઓની વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે મીટિંગ યોજાઈ હતી. મીટિંગ બાદ સોમવારે ગાંધીનગરમાં નાણામંત્રી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને તલાટી મંડળના આગેવાની મીટિંગ મળી હતી. જેમાં સરકારે તલાટીઓની કુલ પાંચ માંગણી પૈકીની ત્રણ માંગણી સ્‍વિકાર કરી હતી તેથી તલાટીઓએ હડતાલ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઘનિષ્‍ઠ દરમિયાન લેખે લાગી અને તલાટીઓની છેલ્લા 20 દિવસથી ચાલતી હડતાલનો અંત આવ્‍યો છે.
—-

Related posts

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

દાનહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અને સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના 31મી ડિસે.સુધી પૂર્ણ કરવા પ્રશાસનની કવાયત

vartmanpravah

ચીખલી તાલુકા ભાજપ દ્વારા પુરગ્રસ્‍તો માટે 1પ00 અનાજની કિટ અને 1700 ફૂટ પેકેટોનું વિતરણ કરાયું

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્‍થળોની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહમાં સમગ્ર શિક્ષણ અંતર્ગત યોજાયો જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવઃ જિલ્લાના 4 વિભાગોએ અલગ અલગ થીમ ઉપર રજૂ કરેલી કૃતિઓ: દરેક થીમ માટે આપવામાં આવેલા પ્રથમ અને દ્વિતીય નંબર

vartmanpravah

Leave a Comment