October 14, 2025
Vartman Pravah
દમણદીવદેશસેલવાસ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

તા.૫મીથી ૧૭મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’માં શિક્ષકોના યોગદાન અને સન્માનની લેવાનારી નોîધ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૬
ભારત સરકાર દ્વારા તા.૫મી સપ્ટેમ્બરથી ૧૭મી સપ્ટેમ્બર સુધી શિક્ષકોના યોગદાન અને સન્માનમાં યોજાનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’ના ઉદ્ઘાટન સમારંભમાં આવતી કાલે સવારે ૧૧ વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધશે. આ વર્ષના શિક્ષક પર્વનો વિષય ‘ગુણવત્તા અને સક્ષમ શાળા’: ભારતમાં શાળામાંથી શિક્ષણ રાખવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત સંબોધનને નિહાળવા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના શિક્ષણ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો અને કાઉન્સિલરોને સામેલ કરાયા છે.
દાદરા નગર હવેલી ખાતે સેક્રેટરિઍટના કોન્ફરન્સ હોલમાં, દમણમાં વિદ્યુત ભવનના કોન્ફરન્સ હોલમાં અને દીવ ખાતે કલેક્ટોરેટના કોન્ફરન્સ હોલમાં જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

જિલ્લા પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ 8 વર્ષ દરમિયાન દમણ જિલ્લામાં થયેલા વિકાસની રજૂ કરાયેલી ગાથા

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડયો

vartmanpravah

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ રાણાની ચાલમાંથી 5,330 કી.ગ્રા. ગાંજાના જથ્‍થા સાથે આરોપીને એસ.ઓ.જી.એ ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment