Vartman Pravah
દમણદીવદેશસેલવાસ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

તા.૫મીથી ૧૭મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’માં શિક્ષકોના યોગદાન અને સન્માનની લેવાનારી નોîધ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૬
ભારત સરકાર દ્વારા તા.૫મી સપ્ટેમ્બરથી ૧૭મી સપ્ટેમ્બર સુધી શિક્ષકોના યોગદાન અને સન્માનમાં યોજાનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’ના ઉદ્ઘાટન સમારંભમાં આવતી કાલે સવારે ૧૧ વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધશે. આ વર્ષના શિક્ષક પર્વનો વિષય ‘ગુણવત્તા અને સક્ષમ શાળા’: ભારતમાં શાળામાંથી શિક્ષણ રાખવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત સંબોધનને નિહાળવા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના શિક્ષણ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો અને કાઉન્સિલરોને સામેલ કરાયા છે.
દાદરા નગર હવેલી ખાતે સેક્રેટરિઍટના કોન્ફરન્સ હોલમાં, દમણમાં વિદ્યુત ભવનના કોન્ફરન્સ હોલમાં અને દીવ ખાતે કલેક્ટોરેટના કોન્ફરન્સ હોલમાં જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

વાપીના કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના ટી.વાય. બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ બનેલી ‘નમો મેડિકલ કોલેજ એન્‍ડ એજ્‍યુકેશન રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ’ની રોશનીનો ઝગમગાટ

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

Leave a Comment