તા.૫મીથી ૧૭મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’માં શિક્ષકોના યોગદાન અને સન્માનની લેવાનારી નોîધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૬
ભારત સરકાર દ્વારા તા.૫મી સપ્ટેમ્બરથી ૧૭મી સપ્ટેમ્બર સુધી શિક્ષકોના યોગદાન અને સન્માનમાં યોજાનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’ના ઉદ્ઘાટન સમારંભમાં આવતી કાલે સવારે ૧૧ વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધશે. આ વર્ષના શિક્ષક પર્વનો વિષય ‘ગુણવત્તા અને સક્ષમ શાળા’: ભારતમાં શાળામાંથી શિક્ષણ રાખવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત સંબોધનને નિહાળવા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના શિક્ષણ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો અને કાઉન્સિલરોને સામેલ કરાયા છે.
દાદરા નગર હવેલી ખાતે સેક્રેટરિઍટના કોન્ફરન્સ હોલમાં, દમણમાં વિદ્યુત ભવનના કોન્ફરન્સ હોલમાં અને દીવ ખાતે કલેક્ટોરેટના કોન્ફરન્સ હોલમાં જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.