July 17, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મોટાપોંઢાની કોલેજમાં વીર નર્મદ જ્યંતિ અને વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૪: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે સ્થિત મુમ્બાદેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોર્મસ કોલેજમાં વીર નર્મદની જન્મજયંતિ તથા વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી થઈ હતી. કોલેજના વિદ્યાર્થિનીઓએ જય જય ગરવી ગુજરાતના ગાન સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં ઈન્ચાર્જ આચાર્ય ડો.એસ.યુ. પટેલે માતૃભાષાનું મહત્વ તથા વીર નર્મદ વિશે જણાવ્યું હતું. ચર્ચાસભા ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વીર નર્મદના ગદ્ય વિશે વૈભવી ભસરા તથા તેમની આત્મકથા મારી હકીકત વિશે પ્રતિક્ષા ચૌધરીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પનિતા રોહિતે કર્યું હતું. ચર્ચાસભા અધ્યક્ષ ડો.આશાબેન ગોહિલે સુધારાનો સેનાની નર્મદ વિશે વિગતે વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત થયો હતો. પ્રો.નર્મદાબેન પરમાર, પ્રો. વનિતાબેન દેસાઈ, ડો.જે.એમ.સોલંકી તથા કોલેજ પરિવારના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સંઘપ્રદેશમાં લગભગ દરેક બુથમાં નિહાળાયું જીવંત પ્રસારણ

vartmanpravah

Leave a Comment