Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.૨૪: જિલ્લા પંચાયત નવસારીના સ્વભંડોળથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિતા સાગરની પ્રેરણા અને માર્ગદર્શનથી ગતવર્ષની સ્નેહા પ્રોજેક્ટની સફળતા બાદ રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લાના કુલ ૫૧ સેન્ટરો પર ૩૪૮૯ કિશોરીઓ માટે તાલીમ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેની શરૂઆત સ્વરક્ષણની તાલીમ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે કોમ્યુટર શિક્ષણ, ઈંગ્લીશ સ્પીકિંગ, આરોગ્ય ચકાસણી, તંદુરસ્તી માટે પોષણક્ષમ નાસ્તો, ક્રાફટ, મહેંદી અને બ્યુટીપાર્લરની તાલીમ આપી સક્ષમ બનાવવામાં આવશે. જેથી કિશોરીઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની સમાજમાં પોતાનું આગવું યોગદાન આપી શકે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા લાઈવલી હુડ મેનેજરશ્રી, શાળાના આચાર્યશ્રી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી ગુંજન ચાર રસ્‍તા, ગીતાનગર સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદી ખાડા તેમજ પાણી ભરાવાથી વણસેલી સ્‍થિતિ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

vartmanpravah

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીની તૈયારીનો આરંભ સાંસદ લાલુભાઈ પટેલે દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનું કરેલું આયોજન

vartmanpravah

વાપીમાં નવો રેલવે બ્રિજ બનવાનો હોવાથી એસ.ટી. ડેપોને બલીઠા હાઈવે ઉપર હંગામી બસ સ્‍ટેન્‍ડ તરીકે સંચાલન કરાશે

vartmanpravah

Leave a Comment