(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ગણપતિ મહોત્સવ માટે ઘરોમાં અને સોસાયટીઓમાં એક ફુટથી ચાર ફુટ સુધીની માટીની મૂર્તિ સ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. સાથે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એની સાથે મંડપમા પ્લાસ્ટિક તેમજ થર્મોકોલની કોઈપણ વસ્તુ સુશોભન માટે ઉપયોગમાં લઈ શકાશે નહિ. કોરોના કાળના બે વર્ષના ગાળા બાદ આ વર્ષે ખુશીઓથી ગણેશ મંડળોમાં ગણપતિની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે જેથી મૂર્તિકારોમાં પણ ખુશી જોવા મળી છે. ગણેશ ભક્તો દ્વારા માટીની મૂર્તિઓનું બુકિંગ કરાવવામાં આવીરહ્યું છે અને મૂર્તિકારો પણ માટીની મૂર્તિને સુશોભિત કરતા જોવા મળી રહ્યા છે.
નગરપાલિકાની ટીમ દ્વારા જે કોઈ મૂર્તિ વેચનારાઓ છે તેઓની દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી, દરેક મૂર્તિકારો ખરેખર માટીની મૂર્તિઓ જ બનાવી વેચે છે કે પછી… તે બાબે ન.પા. ટીમે મૂર્તિકારોના ઘરે જઈને પણ ચકાસણી કરી હતી.