Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્‍વચ્‍છતા અભિયાન કર્યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ વાપીમાં રાષ્‍ટ્રીય સેવા યોજના અંતર્ગત તા.02-10-2024 ના સુત્ર હેઠળ ‘‘સ્‍વભાવ સ્‍વચ્‍છ, સંસ્‍કાર સ્‍વચ્‍છ” અંતર્ગત ઉદવાડા ખાતે દરિયા કિનારાની સ્‍વચ્‍છથાનું અભિયાન કર્યું હતું. જેમાં સદર કોલેજના એન.એસ.એસ.ના સ્‍વયં સેવકો/ સેવિકાઓએ ખુબ જ ખંતથી અને સક્રિય રીતે સ્‍વચ્‍છતાના કાર્યમાં ભાગ લઈ કચરો તથા પ્‍લાસ્‍ટીકને દૂર કરીને દરિયા કિનારાની સાર્વજનિક જગ્‍યાએ સ્‍વચ્‍છ કરતા આજુબાજુના લોકોએ સ્‍વચ્‍છતા માટે જાગૃતતા દર્શાવી હતી. આમ કેવળ સ્‍વચ્‍છ કરવુ એટલુ જ નહિ પણ સ્‍વચ્‍છતા જાળવવા માટે પણ પ્રેરણા આપીને જાહેર સ્‍થળ સ્‍વચ્‍છ તો આપણુ સ્‍વાસ્‍થ્‍ય સ્‍વચ્‍છ રહેથે તથા આવનાર પેઢી માટે પણ સ્‍વચ્‍છ અને શુધ્‍ધ વાતાવરણ મળશે તેની માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.ખુશ્‍બુ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પૂનમ ચૌહાણે તેમજ ટ્રસ્‍ટીગણે સમગ્ર સ્‍વયં સેવિકાનો આભાર વ્‍યક્‍ત કરી સમાજમાં સ્‍વચ્‍છતાની જાગૃતતા લાવવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વલસાડમાં ‘‘હોમગાર્ડઝ સ્‍થાપના દિન”ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ-દીવ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ પટેલનો આજે જન્મ દિવસ

vartmanpravah

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

vartmanpravah

ચીખલીના દેગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાતા તળાવમાંથી માટીનો બારોબાર નિકાલ થતો હોવાની ગ્રામજનોમાં ઉઠી રહેલી ચર્ચા

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

Leave a Comment