Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોએ ઉત્‍સાહ અને ધામધૂમથી ગણેશોત્‍સવની કરેલી ઉજવણી

વૃક્ષના પાન અને ઘઉંના લોટ દ્વારા ભગવાન શ્રી ગણેશની બનાવવામાં આવેલી મૂર્તિ : બાળકોએ મનમુકીને લીધેલો આનંદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પૂર્વ પ્રાથમિક વિભાગમાં નાના બાળકોએ ખૂબ જ ઉત્‍સાહ અને ધામધૂમથી પૂર્વ પ્રાથમિક વર્ગોમાં ગણેશ ઉત્‍સવનું આયોજન કર્યું હતું. વર્ગખંડમાં ગણેશ મહોત્‍સવના આયોગન અંગે ઈસીસીઈ સંયોજક શ્રી રવિન્‍દ્ર દાન દ્વારા રિસોર્સ પર્સન અને તમામ પૂર્વ પ્રાથમિક શિક્ષકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રિસોર્સ પર્સન દ્વારા શનિવારે ઓનલાઈન મીટીંગનું આયોજન કરીને ગણેશ ઉત્‍સવની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતે શિક્ષકોને યોગ્‍ય સૂચનાઓ આપવામાં આવી હતી. ગણેશ ઉત્‍સવના એક દિવસ પહેલા, પૂર્વ પ્રાથમિક શિક્ષકો અને ઈસીસીઈ રિસોર્સ પર્સને ગણેશ ઉત્‍સવની તૈયારીઓ કરી હતી. ત્‍યારબાદ સમગ્ર સંઘપ્રદેશના પૂર્વ પ્રાથમિક વર્ગોમાં ઉત્‍સાહ સાથે ગણેશ ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ભગવાન શ્રી ગણેશની આરતી સાથે ઉત્‍સવની શરૂઆત કરાઈ હતી. ગણેશ, કાર્તિકય, શિવ અને પાર્વતીની વેશભૂષામાં સુંદર પોશાક પહેરી નાનાબાળકોએ બાળસહજ ભાવના સાથે ગણેશ ઉત્‍સવમાં ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. કેટલીક છોકરીઓએ સરસ્‍વતી, લક્ષ્મી અને પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું અને કેટલાક છોકરાઓએ બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશના રૂપમાં ગણેશ ઉત્‍સવમાં ભાગ લીધો હતો. ભગવાન ગણેશે શિવ-પાર્વતીની પરિક્રમા કરીને સમગ્ર પૃથ્‍વીની પરિક્રમા પૂર્ણ કરી હતી. વર્ગખંડમાં બાળ નાટક અને ગણેશ નૃત્‍યનો ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો. નાના બાળકો દ્વારા ભગવાન ગણેશનું પાણીમાં વિસર્જન કરવામાં આવ્‍યું હતું. આ તમામ ઉપરાંત સર્જનાત્‍મક કલા પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષના પાન અને ઘઉંના લોટ દ્વારા ભગવાન શ્રી ગણેશની મૂર્તિ બનાવવામાં આવી હતી અને અંતમાં ગણેશ મૂર્તિના ચિત્રકામનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નાના બાળકોએ રંગો પુરીને તેમની રંગબેરંગી કલ્‍પનાઓથી ભગવાન શ્રી ગણેશની રચના કરી હતી.

Related posts

વલસાડમાં દિવ્‍યાંગ બાળકોના એસેસમેન્‍ટ કેમ્‍પનું અયોજન કરાયું

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

વાપી લાયન્‍સ કલબ ઉદ્યોગનગર મેમ્‍બર દ્વારા લાયન્‍સ આઈ હોસ્‍પિટલને 1.11 લાખનું દાન અપાયું

vartmanpravah

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના સભ્‍ય અને ભાજપના આગેવાન યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી પંચાયતને આદર્શ બનાવવા સરપંચ અને સભ્‍યોની કવાયત : સી.ઈ.ઓ.ની મુલાકાત કરી આપેલો ગ્રાઉન્‍ડ રિપોર્ટ

vartmanpravah

Leave a Comment