February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ નિમિતે તાલુકાભરમાં ધાર્મિક ઉત્‍સવનો માહોલ જોવા મળ્‍યો હતો. તલાવચોરા દેસાઈ ફળીયા સ્‍થિત જલારામબાપાના મંદિરે વહેલી સવારથી જ ભૂદેવ ગોપાલભાઈ મહારાજની ઉપસ્‍થિતિમાં વૈદિક મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞ, ભજન, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્‍યામાં બાપાના ભક્‍તો ઉમટી પડી પૂજા-અર્ચના દર્શન કરી મહાપ્રસાદનો લ્‍હાવો લીધો હતો. ઘેકટી ગામે અંબામાતા મંદિર પાસે જલારામબાપાની મઢુલી વિશેષ શણગાર સાથે બનાવી છપ્‍પનભોગ ચઢાવી, સત્‍યનારાયણ ભગવાનની કથા, ભજન કીર્તન ઉપરાંત 223-દિવડાઓની મહા આરતી કરવામાં આવી હતી. જય જલારામ માનવ સેવા પરિવાર ઘેકટી દ્વારા આયોજિત જલારામ જયતિ ની ઉજવણીમાં મોટી સંખ્‍યામાં ભાવિભક્‍તોએ મહાપ્રસાદનો લ્‍હાવો લીધો હતો. સમરોલીમાં આર્યા ગ્રુપ આયોજિત જલારામ જયંતિની ઉજવણીમાં જલાબાપાને છપ્‍પનભોગ ધરાવી ડાયરમાં ભજનોની રમઝટ અને આરતી સાથે ભવ્‍ય ઉજવણી થતા હજ્‍જારો ભક્‍તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો.
ચીખલીમાં રીવરફ્રન્‍ટ સ્‍થિત જલાબાપાના મંદિર પાસે શ્રી જયજલારામ સેવા સમિતિ આયોજિત કાર્યક્રમમાં આરતી દરમ્‍યાન કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભવો જોડાયા હતા અને આ દરમ્‍યાન મહાત્‍મા ફુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડસ મેળવનાર પત્રકાર જ્‍યોતીન્‍દ્રભાઈ છોવાલાનું સન્‍માન કરાયું હતું. રિવરફ્રન્‍ટ ઉપર ભાવિભક્‍તો મોટી સંખ્‍યામાં ઉમટી જલાબાપાના દર્શન કરી મહાપ્રસાદમાં જોડાયા હતા.
ઘેજ ગામના ભરડા ફળીયા સ્‍થિત જલારામ ધામમાં પણ સત્‍યનારાયણ ભગવાનની કથા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સમરોલી આર્યાગ્રુપ આયોજિત જલારામ જયંતિ મહોત્‍સવમાં પણ આરતીમાં જોડાયા હતા. આ ઉપરાંત તાલુકાના આમધરા જલારામ ધામ, ચિતાલી, તલાવચોરા જગદીશ્વર મહાદેવ મંદિર, રૂમલા, મોગરાવાડી, સાદકપોર સહિત અનેક ગામોમાં જલારામ બાપાની જન્‍મ જ્‍યંતીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

સેલવાસમાં એસી રીપેરીંગની દુકાનમાં 10 હજારની ચોરી

vartmanpravah

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કચીગામ-દમણ ખાતે આવેલી મેડલે ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડ ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

નાનાપોંઢા નાસિક માર્ગ અને ચિવલ નજીક રોડ ઉપર અકસ્‍માતમાં બે મોત

vartmanpravah

Leave a Comment