Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.02: દાદરા નગર હવેલીના સાયલી ગામ સ્‍થિત સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપના કરવામાં આવેલ વિઘ્નહર્તા શ્રીજીની મૂર્તિનું અઢી દિવસની પૂજા-અર્ચના બાદ ધામધૂમથી વાજતે-ગાજતે નાચગાન સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સાંઈરામ સેવા સમિતિ દ્વારા ઝરીપાડા સ્‍થિત ખાડીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અહીં વિસર્જન બાદ ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિસર્જન યાત્રામા સાંઈરામ સેવા સમિતિના પ્રમુખ શ્રી માધુભાઈ પટેલ, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ સહિતઅગ્રણીઓએ ખુબ જ ભક્‍તિભાવ પૂર્વક સેવા બજાવી હતી.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલ કુતરાઓના હવાલે : સુરક્ષાના અભાવે સ્‍થિતિ ઉભી થઈ છે : દર્દીઓ ભયભીત

vartmanpravah

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

વાંસદાના સિણધઈ ગામે દીપડાએ ધોળા દિવસે બે ખેત મજૂરો પર હુમલો કરતા લોહી લુહાણ

vartmanpravah

વલસાડ રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ માટે જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

Leave a Comment