આજે દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સેલવાસમાં પ્રશાસન દ્વારા દમણગંગા રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલ કુત્રિમ તળાવની અંદર મૂર્તિઓનું વિસર્જન કરી પર્યાવરણની સ્વચ્છતા માટે દાખલો બેસાડયો હતો. જ્યારે કેટલાક મંડળો તથા સમિતિઓએ એમની સોસાયટીઓની અંદર જ વ્યવસ્થા ઉભી કરી ભક્તિભાવ પૂવર્ક ગણપતિની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું તે વેળાની તસવીરી ઝલક.