April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાઈફ રેસ્‍ક્‍યૂ ફાઉન્‍ડેશન અને પીપલ ફોર વોઈસલેસ ચેરીટેબલ ટ્રસ્‍ટની ટીમ દ્વારા વાપી તથા આસપાસના વિસ્‍તારોમાં રખડતા ગૌવંશને રેડિયમ કોલર બેલ્‍ટ પહેરાવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ઘણા સમયથી સંસ્‍થાના સ્‍થાપક વર્ધમાન શાહને વાપી તથા આસપાસના વિસ્‍તારથી સોશિયલ મીડિયા મારફતે, સમાચાર કે ડાયરેકટ કૉલ અથવા મેસેજ મળતાં હોય છે જેમાં જણાવવામાં આવે છે કે ગૌવંશનું અકસ્‍માત થયું છે અને આવી પરિસ્‍થિતમાં કા તો મનુષ્‍ય ગંભીર રીતે ઘાયલ થયેલો જણાય છે અને કા તો ગૌવંશ, અને કયારેક તો મૃત્‍યુ થયાનાપણ સમાચાર મળી આવતા હોય છે તેથી આ ગંભીર પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સંસ્‍થા તથા સંસ્‍થાને મદદરૂપ થનાર આકાશભાઈ (કેપ્‍ટન મેન બૂટિક – ગુંજન) સાથે મળીને 400 જેટલા રખડતા ગૌવંશને રેડિયમ કોલર બેલ્‍ટ પહેરવાનું નક્કી કર્યું હતું.
વર્ધમાન શાહના જણાવ્‍યા પ્રમાણે રખડતા ગૌવંશને ખાસ કરીને વરસાદની ઋતુમાં સડકો ઉપર વધારે બેસેલા જોવામાં આવે છે એનું મુખ્‍ય કારણ વર્ષા ઋતુમાં રસ્‍તાઓ સાફ હોય છે અને પાણીવાળી જગ્‍યાએ કે કીચડ – કાદવ વાડી જગ્‍યામાં માખી, મચ્‍છર કે અન્‍ય જીવજંતુ હોય છે જેનાથી બચવા તેઓ સડકનો સહારો લે છે અને આવા સમયે જો અંધારામાં ગૌવંશ બેઠું હોય તો વાહન સાથે અકસ્‍માત થવાના બનાવ વધી જાય છે, જોકે આ કોલર બેલ્‍ટ પહેરાવાથી 100 ટકા અકસ્‍માત રોકી શકાય એ શકય નથી પરંતુ બની સકે એટલા ઓછા અકસ્‍માત થવાની સંભાવના થઈ શકે, રેડિયમ કોલર બેલ્‍ટ બાંધવાથી ગૌવંશ જે રસ્‍તામાં બેઠા હોય કે ઊભા હોય (ખાસ કરીને ડાર્ક રંગના) તો દૂર થી જ લોકોને વાહનની લાઈટ દ્વારા કોલર બેલ્‍ટ રિફલેક્‍સન થતાં દેખાઈ જાય અને અકસ્‍માત થવાની ઘટના ઓછી થવાની સંભાવના બની રહે, સંસ્‍થાના લોકો દ્વારા હાથ જોડીને અપીલ છે કે તેઓનો મુખ્‍ય ઉદ્દેશ આપની અને ગૌવંશની સુરક્ષા છે જેની માટે આમહત્‍વપૂર્ણ કાર્ય રાત ભર જાગી જાગી અને ફરી ફરીને કરી રહ્યા છે તો તેમની મદદ માટે આગળ આવે અને આવા કાર્યમાં સહભાગી થાય.
વાહન ચલાવતી વખતે હેલ્‍મેટ અને શિટ બેલ્‍ટ જરૂર લગાવો જેથી સુરક્ષા બની રહે અને સ્‍પીડમાં થોડો કાબૂ રાખો જેથી તમારો કે કોઈપણ બીજાનો જીવ બચાવી શકાય.

Related posts

વલસાડ જિલ્લાના પાંચ ધારાસભ્‍યોએ જગત જનની માઁ અંબેની પૂજા-અર્ચના કરી

vartmanpravah

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

vartmanpravah

શનિવારે દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા લાભાર્થી સંમેલન યોજાશેઃ કેન્‍દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્‍ય મંત્રી કૌશલ કિશોરની રહેનારી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

vartmanpravah

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

Leave a Comment