(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ અને દાનહના કલેક્ટર અને આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્ય સચિવ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા હેઠળ દાદરા નગર હવેલીમાં રહેતા તમામ રહેવાસીઓને જણાવવામાં આવે છે કે ગણેશ મહોત્સવના પાવન અવસર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લામાં યોજના અને વિકાસ પ્રાધિકરણ (ડીએનએચપીડીએ) વિભાગ દ્વારા ગણેશ વિસર્જનની વ્યવસ્થા સેલવાસ સ્થિત દમણગંગા રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલ વિસર્જન કૃત્રિમ કુંડમાં કરવામાં આવેલ છે, જેમાં દાદરા અને નગર હવેલીના તમામ સાર્વજનિક મંડળ/રહેવાસીઓને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા અને ગણપતિ બાપ્પાના દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.