July 18, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08: દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ ખાતે રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી મીનાબેન વરઠા અને શ્રી રમેશ માહલાએ પ્રદેશમાં સૌથી જરૂરી એવા હૃદયરોગ અને કેન્‍સરની સારવાર શરૂ કરવા માટે નિયમિત કાર્ડિયોલોજિસ્‍ટ અને ઓન્‍કોલોજીસ્‍ટની ભરતી કરી શરૂ કરવા માટે પ્રસ્‍તાવ મુક્‍યો હતો. આ દરખાસ્‍તની કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ સરાહના કરી હતી અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં હૃદયરોગ અને કેન્‍સરનીસારવાર જલ્‍દીથી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત સભ્‍યો, આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો.વી.કે.દાસ સહિત અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલી પોલીસે સુંઠવાડ ગામેથી દારૂ ભરેલ બોલેરો સાથે રૂ.૭.૨૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્‍ટેઈનર ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ – સબકી આકાંક્ષાયેં – સબકા વિકાસ’ અંતર્ગત શુક્રવારે દમણ કૃષિ વિભાગ દ્વારા કચીગામના સરકારી કૃષિ ફાર્મમાં કૃષિ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

vartmanpravah

Leave a Comment