January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08: દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ ખાતે રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી મીનાબેન વરઠા અને શ્રી રમેશ માહલાએ પ્રદેશમાં સૌથી જરૂરી એવા હૃદયરોગ અને કેન્‍સરની સારવાર શરૂ કરવા માટે નિયમિત કાર્ડિયોલોજિસ્‍ટ અને ઓન્‍કોલોજીસ્‍ટની ભરતી કરી શરૂ કરવા માટે પ્રસ્‍તાવ મુક્‍યો હતો. આ દરખાસ્‍તની કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ સરાહના કરી હતી અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં હૃદયરોગ અને કેન્‍સરનીસારવાર જલ્‍દીથી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત સભ્‍યો, આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો.વી.કે.દાસ સહિત અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

હવેથી દમણ મામલતદાર કાર્યાલયમાં જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયાઓનલાઈન: જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્‍કાલિક અસરથી બંધ

vartmanpravah

થર્ટીફસ્‍ટ ને લઈ પારડી પોલીસ એક્‍શન મોડમાં: કલસર – પાતળિયા ચેક પોસ્‍ટ પર હાથ ધર્યું સઘન ચેકિંગ

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળાનું આયોજન

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડ્રોન વડે સર્વેની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

અજાણી મહિલા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment