પુષ્પારાજ ઢબે ખેરના આઠથી દશ ઝાડ કપાયાની જાણ ફોરેસ્ટને થવા છતાં કોઈ પગલાં ભરાયા નથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વલસાડ નજીક આવેલ સેગવા ગામમાં આવેલ ફોરેસ્ટ વિભાગની વિશાળ જગ્યા આવેલી છે. તેમાં ખેરના વૃક્ષો છે. પુષ્પારાજની સ્ટાઈલતી ખેરના આઠથી દશ વૃક્ષો કપાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વલસાડ પાસે સેગવા ગામમાં ફોરેસ્ટની જગ્યામાં કિંમતી ગણાતા ખેરના વૃક્ષો મોટી સંખ્યામાં ઉછેરાયેલા છે. આ વૃક્ષો ઉપર પુષ્પારાજની નજર બગડેલી છે તેથી ચાર દિવસ પહેલાં ફોરેસ્ટની જગ્યામાં આઠ થી દશ વૃક્ષો કાપી ગયા હતા. ઘટના અંગે જાગૃત નાગરિકે ફોરેસ્ટ વિભાગને જાણ કરેલ પરંતુ હજુ સુધી કોઈ પગલાં ભરાયેલા નથી. અગાઉ પણ ખેરના ઝાડ કાપીને લઈ જવાયાના બનાવ નોંધાયેલા છે. વૃક્ષો કાપવાની કામગીહરી જાણભેદુઓ જ કરતા હોવાનું મનાયછે. વૃક્ષો કપાયા બાદ પણ જંગલ ખાતુ ઊંઘતું ઝડપાયું છે.