August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ટોલનાકાનો ટોલમાં અસહ્ય વધારો થતા કોમર્શિયલ વાહનો ગામડાના રસ્‍તેથી વાપી જીઆઈડીસીમાં દાખલ થઈ રહ્યા છે

પારડી, પરીયા અંબાચ જેવા ગામોમાં ટ્રક, ડમ્‍પર,
ટેમ્‍પા જેવા વાહનોનો ધસારો વધી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: તાજેતરમાં વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા ઉપર 300 થી 400 ટકાનો ટોલમાં ભાવ વધારો થતા ટોલ બચાવવાનો વાહન ચાલકોએ નવો નુશખો શોધી કાઢયો છે. પારડીથી પરીયા, અંબાચ જેવા ગામોમાં થઈ કોમર્શિયલ વાહનો વાપી જીઆઈડીસી પહોંચી રહ્યા છે.
તાજેતરમાં હાઈવે ઉપર થયેલ ટોલના ભાવવધારાનો વિરોધ પ્રથમ દિવસથી થઈ રહ્યો છે. ટ્રાન્‍સપોર્ટ એસો. સહિત વાહન ચાલકોએ સાંસદ ધવલ પટેલને મળી રજૂઆત કરી મામલો હાઈવે મંત્રી નિતિન ગડકરી સુધી પણ પહોંચાડયો, પણતેની કોઈ અસર થઈ નથી. શરૂઆતમાં લોકોએ ટોલનાકા ઉપર હંગામો એક-બે દિવસ મચાવ્‍યો પણ ખરો પરંતુ એ બેઅસર રહ્યો. તેથી વાહન ચાલકોએ અસહ્ય ટોલ બચાવવાનો નવો વિકલ્‍પ શોધી કાઢયો છે. સુરત, નવસારી, અંકલેશ્વર તરફથી આવતી ટ્રકો, ડેમ્‍પરો, ટેમ્‍પાઓ પારડીથી પરીયા, અંબાચ જેવા ગામડાઓના રસ્‍તેથી વાપી સુધી પહોંચી રહ્યા છે. બીજી તરફ કોમર્શિયલ વાહનોના ગામડાઓમાં થઈ રહેલી અવર જવરથી સ્‍થાનિક લોકોમાં ચિંતા ઉભી થઈ છે. કે ભારે વાહનો રોડના બેહાલ કરી નાખશે. પહેલા આ રૂટ ઉપર એકલ દોકલ વાહનો પસાર થતા હવે મીની હાઈવે જેવી સ્‍થિતિ સર્જાવા લાગી છે. દિવસ-રાત ભારે વાહનોથી ગામડાના રોડ ધમધમી રહ્યા છે તેવી ગામડાઓમાં માંગ ઉઠી રહી છે કે ભારે વાહનોને બંધ કરાવવામાં આવે.

Related posts

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલી સલામ મુજબ દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં જિ.પં. સભ્‍યોએ જમ્‍પોર સુધી ઈ-બસમાં કરેલી મુસાફરી

vartmanpravah

વલસાડમાં રોડ સેફટીના ગંભીર મુદ્દા પર દક્ષિણ ગુજરાત કક્ષાની ઈન્ટર સ્કૂલ સ્પીચ કોમ્પિટિશન યોજાશે

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ પગલે: એસઓજી પોલીસે થાલાની એક ભંગારની દુકાનમાં આધાર પુરાવા વિનાની બે મોટર સાયકલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

Leave a Comment