સેલવાસ નગરપાલિકા વિસ્તારના દરેક નાગરિકોને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત સેલવાસ બનાવવા માટે યોગદાન આપવા અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત અને સ્વચ્છ સર્વેક્ષણ-2023 હેઠળ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખશ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં સેલવાસ પાલિકા દ્વારા ગત 6 સપ્ટેમ્બરથી આગામી 13 સપ્ટેમ્બર સુધી મહાસફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે સર્કિટ હાઉસથી રાસ રિસોર્ટ સુધી સફાઈ કરવાનું આયોજન હાથ ધરાયું હતું. બીજા દિવસે યાત્રી નિવાસથી શહીદચોક સુધી સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેમાં પાલિકાના કર્મચારીઓ, સભ્યો અને નગરવાસીઓએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને સ્વચ્છતા માટે પોતાનું યોગદાન આપ્યુંહતું.
આ દરમિયાન સેલવાસ નગરપાલિકા વિસ્તારના દરેક નાગરિકોને સ્વચ્છ સુંદર અને પ્લાસ્ટીક મુક્ત સેલવાસ બનાવવા માટે પોતાનું યોગદાન આપવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.