Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં પ્રદેશમાં અલગ અલગ પ્રકારના સાંસ્‍કૃતિક અને ગણમાન્‍ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના આઝાદીના 75વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભારત સરકાર દ્વારા પ્રાયોજીત આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 12મી ઓગસ્‍ટના રોજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રખોલી પંચાયત ઘર, ખાનવેલ પ્રાથમિક શાળા, દૂધની જેટી, દાદરા પંચાયતની બાજુમાં, નરોલી ચાર રસ્‍તા ઓરીયન ઈમ્‍પીરીયા મોલ, લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગ ટોકરખાડા ખાતે સવારે 11:00 વાગ્‍યાથી રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
દાદરા નગર હવેલીની જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, પ્રાથમિક શાળાઓઓના વિદ્યાર્થીઓ દ્વારા યોજાનાર આ રંગોળી સ્‍પર્ધામાં ભાગ લઈ શાળાના વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધારે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

vartmanpravah

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

vartmanpravah

વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાઈ : કચરાના ઢગલા યથાવત રખાયા

vartmanpravah

વાપીના સી.એ. વિરૂધ્‍ધ વધુ એક કારનામાની પોલીસ ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં નોંધાઈ

vartmanpravah

દમણ : શ્રી રાજમાન રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું સમાપન

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment