December 1, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં પ્રદેશમાં અલગ અલગ પ્રકારના સાંસ્‍કૃતિક અને ગણમાન્‍ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના આઝાદીના 75વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભારત સરકાર દ્વારા પ્રાયોજીત આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 12મી ઓગસ્‍ટના રોજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રખોલી પંચાયત ઘર, ખાનવેલ પ્રાથમિક શાળા, દૂધની જેટી, દાદરા પંચાયતની બાજુમાં, નરોલી ચાર રસ્‍તા ઓરીયન ઈમ્‍પીરીયા મોલ, લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગ ટોકરખાડા ખાતે સવારે 11:00 વાગ્‍યાથી રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
દાદરા નગર હવેલીની જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, પ્રાથમિક શાળાઓઓના વિદ્યાર્થીઓ દ્વારા યોજાનાર આ રંગોળી સ્‍પર્ધામાં ભાગ લઈ શાળાના વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધારે.

Related posts

વલસાડમાં એક જ સ્‍થળે છેલ્લા ત્રણ દિવસથી લાગતી ભેદી આગ : લોકો ભયભીત

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રા.શાળાના આચાર્ય સામે ગુનો દાખલઃ તપાસ માટે શાળાએ પહોંચેલા ડીડીઓ સમક્ષ ગ્રામજનોએ આચાર્યની તાત્‍કાલિક બદલી કરવા કરેલી માંગ

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં ઘેલવાડ, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોએ પણ આપેલું સમર્થન

vartmanpravah

Leave a Comment