March 4, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં પ્રદેશમાં અલગ અલગ પ્રકારના સાંસ્‍કૃતિક અને ગણમાન્‍ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના આઝાદીના 75વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભારત સરકાર દ્વારા પ્રાયોજીત આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 12મી ઓગસ્‍ટના રોજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રખોલી પંચાયત ઘર, ખાનવેલ પ્રાથમિક શાળા, દૂધની જેટી, દાદરા પંચાયતની બાજુમાં, નરોલી ચાર રસ્‍તા ઓરીયન ઈમ્‍પીરીયા મોલ, લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગ ટોકરખાડા ખાતે સવારે 11:00 વાગ્‍યાથી રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
દાદરા નગર હવેલીની જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, પ્રાથમિક શાળાઓઓના વિદ્યાર્થીઓ દ્વારા યોજાનાર આ રંગોળી સ્‍પર્ધામાં ભાગ લઈ શાળાના વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધારે.

Related posts

દમણવાડા પંચાયતનો નવતર અભિગમઃ ટ્રેક્‍ટરની ટ્રોલીમાં પંચાયત કાર્યાલય બનાવી પ્રત્‍યેક વોર્ડમાં પહોંચી ગ્રામજનોને ઘરઆંગણે આપવામાં આવેલા વિવિધ સર્ટીફિકેટો

vartmanpravah

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

vartmanpravah

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

વાપી નૂતન નગરમાં હોલિકા દહન કરાયું

vartmanpravah

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment