Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના મોરખલથી વારણા તરફ જતો માર્ગ અત્‍યંત બિસ્‍માર અને ખખડધજઃ વાહનચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્‍કેલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગુજરાત બોર્ડરને જોડતા મોરખલ ગામથી વારણા તરફના દાભડપાડાનો રસ્‍તો જે હાઈસ્‍કૂલ તરફ જાય છે એ રસ્‍તા ઉપર ભારે વરસાદને કારણે મસમોટા ખાડાઓ પડી ગયેલ છે. આ રસ્‍તાનો ઉપયોગ કપરાડા અને ધરમપુર તરફ જનારા લોકો તેમજ ગુજરાતથી દાદરા નગર હવેલીમાં આવતા વાહનચાલકો અને રાહદારીઓ કરે છે. સાથે શાળામાં જતાં-આવતા બાળકોએ પણ આ રસ્‍તા પરથી જ પસાર થવું પડે છે. આ રસ્‍તા પર પડેલ મોટા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ઘણી જ તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. જેથી પ્રશાસન દ્વારા તાત્‍કાલિક આ સમસ્‍યાને ધ્‍યાનમાં લઈ મોટા મોટા ખાડાઓ પડેલ છે જેના કારણે વાહનો બગડવાની નોબત પણ આવી ચુકી છે અને હોસ્‍પિટલમાં જવા માટે એમ્‍બ્‍યુલન્‍સને સમયસર પહોંચવા પણ સમયના બગાડ સાથે ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે અનેદર્દીઓએ હેરાન-પરેશાન થવું પડે છે. તેથી તાત્‍કાલિક ધોરણે આ ખખડધજ રસ્‍તાની મરામ્‍મત કરવામાં આવે એવી લોકોની બુલંદ માંગ છે.

Related posts

સુવિખ્‍યાત અભિનેતા, ડાયરેક્‍ટર અને પ્રોડ્‍યુસર, કૉમેડીના બેતાજ બાદશાહ સંજય ગોરડીયાએ કિડની કેર મેહતા હોસ્‍પિટલની મુલાકાત લીધી

vartmanpravah

દીવ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

સેલવાસના ખાડીપાડામાં એક પરિવારમાં આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની કરાયેલી નિર્મમ હત્‍યા

vartmanpravah

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા રથને રવાના કરાયો

vartmanpravah

Leave a Comment