July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ચીખલી તાલુકામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ગણેશ વિસર્જન કરાશે

રાત્રે 9 વાગ્‍યા સુધીમાં વિસર્જન પૂર્ણ કરવું, જે મંડળ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાશે એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશેઃ ડે. કલેક્‍ટર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: ચીખલી તાલુકામાં ગણેશજીની દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ આજે દસમા દિવસે એટલે કે અનંત ચૌદશના દિવસે ગણેશજીનું વિસર્જન ધામધુમ પૂર્વક કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ગણેશ વિસર્જનમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવ્‍યું હતું. પરંતુ બે વર્ષ બાદ સરકારે છૂટછાટ આપતા ગણેશજીનું વિસર્જન ચીખલીની કાવેરી નદી સ્‍થિત ઓવારા પર, તલાવચોરા સ્‍થિત કાવેરી નદી ખાતે તેમજ કુકેરી ચક્કરિયા સ્‍થિત કાવેરી નદી કિનારે કરવામાં આવશે. ગણેશ વિસર્જનમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવશે. જેમાં 1-ડીવાયએસપી,2-પીઆઈ, 5-પીએસઆઈ, 65-પોલીસકર્મીઓ, 90-હોમગાર્ડ, 100-જેટલા જીઆરડી, ઈન્‍ચાર્જ મામલતદાર વકેરિયા, સર્કલ મામલતદાર સુરેશભાઇ દેસાઈસહિતનો સ્‍ટાફ ખડેપગે રહેશે.
નવસારી જિલ્લા ડેપ્‍યુટી કલેકટર વાઘેલા, ચીખલીના ઇન્‍ચાર્જ મામલતદાર વકેરિયા, ટીડીઓ હિરેન ચૌહાણ, ચીખલી પીઆઇ-કે.જે.ચૌધરી, એલઆઈબીના મંગુભાઇ પટેલ સહિતનાઓએ ચીખલી કાવેરી નદી સ્‍થિત ઓવારાની મુલાકાત લઈ નાયબ કલેકટરે માહિતી મેળવી હતી. જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં ગણેશ વિસર્જન મોડામાં મોડું રાત્રે 9 કલાક સુધીમાં પૂર્ણ કરવા અને જે પણ મંડળ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનો કર્યા હતા.

Related posts

દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં ‘સબકી યોજના સબકા વિકાસ’ અંતર્ગત યોજાઈ ગ્રામસભા

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

તા.૨૧ મીએ મરોલી ખાતે હેલ્થમેળાનું આયોજન

vartmanpravah

વલસાડ સીટીમાં મેગા ડિમોલિશનનો આરંભ : પાલિકા અને પોલીસે કમર કસી

vartmanpravah

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

Leave a Comment