Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ચીખલી તાલુકામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ગણેશ વિસર્જન કરાશે

રાત્રે 9 વાગ્‍યા સુધીમાં વિસર્જન પૂર્ણ કરવું, જે મંડળ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાશે એની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશેઃ ડે. કલેક્‍ટર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: ચીખલી તાલુકામાં ગણેશજીની દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ આજે દસમા દિવસે એટલે કે અનંત ચૌદશના દિવસે ગણેશજીનું વિસર્જન ધામધુમ પૂર્વક કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ગણેશ વિસર્જનમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવ્‍યું હતું. પરંતુ બે વર્ષ બાદ સરકારે છૂટછાટ આપતા ગણેશજીનું વિસર્જન ચીખલીની કાવેરી નદી સ્‍થિત ઓવારા પર, તલાવચોરા સ્‍થિત કાવેરી નદી ખાતે તેમજ કુકેરી ચક્કરિયા સ્‍થિત કાવેરી નદી કિનારે કરવામાં આવશે. ગણેશ વિસર્જનમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવશે. જેમાં 1-ડીવાયએસપી,2-પીઆઈ, 5-પીએસઆઈ, 65-પોલીસકર્મીઓ, 90-હોમગાર્ડ, 100-જેટલા જીઆરડી, ઈન્‍ચાર્જ મામલતદાર વકેરિયા, સર્કલ મામલતદાર સુરેશભાઇ દેસાઈસહિતનો સ્‍ટાફ ખડેપગે રહેશે.
નવસારી જિલ્લા ડેપ્‍યુટી કલેકટર વાઘેલા, ચીખલીના ઇન્‍ચાર્જ મામલતદાર વકેરિયા, ટીડીઓ હિરેન ચૌહાણ, ચીખલી પીઆઇ-કે.જે.ચૌધરી, એલઆઈબીના મંગુભાઇ પટેલ સહિતનાઓએ ચીખલી કાવેરી નદી સ્‍થિત ઓવારાની મુલાકાત લઈ નાયબ કલેકટરે માહિતી મેળવી હતી. જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં ગણેશ વિસર્જન મોડામાં મોડું રાત્રે 9 કલાક સુધીમાં પૂર્ણ કરવા અને જે પણ મંડળ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનો કર્યા હતા.

Related posts

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ જાતીય શોષણ સામેના કાયદા અંગે બે દિવસીય શિબિર યોજાઈ

vartmanpravah

સામરવરણી નજીક કાર દ્વારા સાયકલસવાર સાથે અકસ્‍માત સર્જી ભાગી રહેલા બુટલેગરોને દાનહ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા: હુન્‍ડાઈ વેન્‍યુ કાર સહિત રૂા.11લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

સેલવાસની પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

Leave a Comment