Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વન વિભાગની ફોરેસ્‍ટ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્‍યાન જંગલમાં હલચલ જોતા તપાસ કરતા એક વ્‍યક્‍તિ મરેલા મોર સાથે જોવા મળ્‍યો હતો. જેને ગલોન્‍ડા ફોરેસ્‍ટમાં ફોરેસ્‍ટર શ્રી સ્‍વપિ્નલ પટેલ અને શ્રી તેજસ પટેલે આરોપીને પકડી તેની પૂછપરછ કરતાં આરોપી નિલેશ જાદવ (ઉ.વ.38) રહેવાસી કપરાડા, જે એના કોઈક સગાંને ત્‍યાં રોકાયો હતો અને અહીં જંગલમાં ગિલોલ વડે મોરનો શિકાર કર્યો હોવાનું જણાવ્‍યું હતું. જેની વિરુદ્ધ વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ 1972 સેક્‍શન 9 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. આરોપી નિલેશ જાદવને દાનહના આર.એફ.ઓ. શ્રી કિરણ પરમારે કોર્ટમાં રજૂ કરતા રાષ્ટ્રીય પક્ષી મોર શિડયુલ વનમાં આવતુ હોવાને કારણે ગુનાની સજા 3 વર્ષ કે તેથી વધુ અને હાલમાં આરોપીને 14 દિવસની જ્‍યુડિશિયલ કસ્‍ટડી આપવામાં આવી છે અને મૃત મોરનુંવનવિભાગ દ્વારા પોસ્‍ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વલસાડના ગાડરીયામાં વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણી, 2247 લાભાર્થીએ કેમ્‍પનો લાભ લીધો

vartmanpravah

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં દિવ્‍યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના હસ્‍તે કીટ વિતરણ કરાઈ

vartmanpravah

પવિત્ર શ્રાવણ મહિનામાં દાનહના વિવિધ શિવાલયોમાં ગુંજી રહેલો હર હર મહાદેવનોનાદઃ શિવભક્‍તો ભક્‍તિમાં તરબોળ

vartmanpravah

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

vartmanpravah

હવે સુરતના પ્રવાસીઓ માટે દમણ દારૂનગરી નહીં પરંતુ પ્રવાસન અને સહેલગાહનું મથક બન્‍યું

vartmanpravah

Leave a Comment