September 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વન વિભાગની ફોરેસ્‍ટ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્‍યાન જંગલમાં હલચલ જોતા તપાસ કરતા એક વ્‍યક્‍તિ મરેલા મોર સાથે જોવા મળ્‍યો હતો. જેને ગલોન્‍ડા ફોરેસ્‍ટમાં ફોરેસ્‍ટર શ્રી સ્‍વપિ્નલ પટેલ અને શ્રી તેજસ પટેલે આરોપીને પકડી તેની પૂછપરછ કરતાં આરોપી નિલેશ જાદવ (ઉ.વ.38) રહેવાસી કપરાડા, જે એના કોઈક સગાંને ત્‍યાં રોકાયો હતો અને અહીં જંગલમાં ગિલોલ વડે મોરનો શિકાર કર્યો હોવાનું જણાવ્‍યું હતું. જેની વિરુદ્ધ વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ 1972 સેક્‍શન 9 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. આરોપી નિલેશ જાદવને દાનહના આર.એફ.ઓ. શ્રી કિરણ પરમારે કોર્ટમાં રજૂ કરતા રાષ્ટ્રીય પક્ષી મોર શિડયુલ વનમાં આવતુ હોવાને કારણે ગુનાની સજા 3 વર્ષ કે તેથી વધુ અને હાલમાં આરોપીને 14 દિવસની જ્‍યુડિશિયલ કસ્‍ટડી આપવામાં આવી છે અને મૃત મોરનુંવનવિભાગ દ્વારા પોસ્‍ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍યસભા યોજાઈ : વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

vartmanpravah

ચીખલી તથા આસપાસના ગામોમાં સ્‍વચ્‍છતા માટે તંત્રના અનેક પ્રયાસો બાદ પણ કચરો ફેંકી ગંદકી ફેલાવતા 19 જેટલા સ્‍થળોએ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્‍યો

vartmanpravah

આજે દાનહ જિલ્લામાં પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્‍સવ

vartmanpravah

વલસાડ ખાતે 400 મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

Leave a Comment