April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નજીકના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિરનો 24મો પાટોત્‍સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલીના સમરોલીમાં નવા તળાવના કિનારે આવેલપૌરાણિક ફુલદેવી માતાના મંદિરના 24માં પાટોત્‍સવની ઉજવણી શ્રી ફુલદેવી માતાજી ધર્મદા ટ્રસ્‍ટના નેજા હેઠળ સ્‍થાનિક ભક્‍તો દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ હરીશભાઈ મહારાજ સહિતના ભૂદેવોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અનેક ભક્‍તો જોડાઈ યજ્ઞમાં આહુતિ આપી હતી આ દરમિયાન માતાજીની મહા આરતી પણ કરવામાં આવી હતી ફુલદેવી માતાજીના મંદિરે ભક્‍તો મોટી સંખ્‍યામાં ઉમટી પડી માતાજીની પૂજા અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. આ પ્રસંગે ભજનોનીકેટલી ગામના ભજન મંડળ દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી આ ઉપરાંત મહાપ્રસાદનો પણ હજારોની સંખ્‍યામાં ભક્‍તોએ લ્‍હાવો લીધો હતો. પાટોત્‍સવ નિમિત્તે આયોજકો દ્વારા યજ્ઞમાં જોડાનાર યજમાનોને માતાજીની તસવીર પણ ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી.

Related posts

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાંથી 39 ખેલાડીઓની કરવામાં આવેલી પસંદગી

vartmanpravah

વાપી કરવડમાં નવનિર્માણ થતી પ્‍લાસ્‍ટીક કંપનીમાં આગ લાગી : લાખોના મશીન-સરસામાન ખાખ

vartmanpravah

વાપી બલીઠા ડેપોમાં કાદવમાં બે બસો ફસાઈ: ઉચ્‍ચ અધિકારીઓને મુસાફરો-સ્‍ટાફની હાલાકી દેખાતી નથી

vartmanpravah

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

ચીખલી પોલીસ સ્‍ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment