September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘સ્‍ટાર્ટ અપ ઈન્‍ડિયા’ના બે અધિકારીઓએ દમણની લીધેલી મુલાકાતઃ ડીઆઈએ ખાતે યોજાયેલો વર્કશોપ

  • ‘સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા’ના અધિકારીઓ સલિલ સેઠ અને આકાશ ગોયલે ડીઆઈએ ટીમ પાસેથી અહીંના સ્‍ટાર્ટઅપ સંબંધિત પાસાઓ શીખ્‍યા

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ હેઠળદમણમાં સ્‍ટાર્ટઅપ્‍સ માટે તમામ યોગ્‍ય સંસાધનો ઉપલબ્‍ધ છેઃ ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.11: ભારત સરકારદ્ધના ઉદ્યોગ મંત્રાલયના ‘સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા’ સાથે સંકળાયેલા બે અધિકારીઓએ દમણની મુલાકાત કરી દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન તરફથી અહીંના સ્‍ટાર્ટઅપ સંબંધિત વિવિધ પાસાઓ બાબતે જાણકારી મેળવી હતી. ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓ શ્રી સલિલ શેઠ અને શ્રી આકાશ ગોયલની ઉપસ્‍થિતિમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના સભાખંડમાં એક મહત્‍વપૂર્ણ વર્કશોપ યોજાયો હતો. જેમાં ઘણા સ્‍ટાર્ટઅપ્‍સે ભાગ લીધો હતો. આ પ્રસંગે ડીઆઈએ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે દમણમાં અત્‍યાર સુધીમાં 30 થી વધુ સ્‍ટાર્ટઅપ શરૂ થયા છે. ‘સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા’ના પદાધિકારીઓ શ્રી સલિલ શેઠ અને શ્રી આકાશ ગોયલે જણાવ્‍યું હતું કે અમારી દમણની મુલાકાતનો હેતુ સ્‍ટાર્ટઅપ્‍સને પ્રોત્‍સાહન આપવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું સપનું ભારતને નોકરી શોધનારમાંથી નોકરી આપનાર બનાવવાનું છે. આપણે આપણા દેશના યુવાનોને આગળ વધારવાના છે. દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પવન અગ્રવાલે જણાવ્‍યું હતું કે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ દમણનું સદ્‌ભાગ્‍ય છે કે વહીવટીતંત્રે અહીં મજબૂત આર્થિક અને સામાજિકમાળખું તૈયાર કર્યું છે. બિઝનેસ અને એન્‍ટરપ્રાઇઝનું એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્‍યું છે કે કોઈપણ સ્‍ટાર્ટઅપ અહીં આવીને પોતાનો ઉદ્યોગ સ્‍થાપી શકે છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ અને સબળ નેતૃત્‍વ હેઠળ દમણમાં સ્‍ટાર્ટ અપ માટે તમામ જરૂરી સંસાધનો ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા છે.

Related posts

લક્ષદ્વીપ-કાવારત્તી સરકારી હોસ્‍પિટલના નવા બાંધકામ સ્‍થળ તથા ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ભીમપોર ગ્રા.પં. ખાતે યોજાયેલ જીપીડીપીની ગ્રામસભામાં સાંસદ ઉમેશભાઈ પટેલનો આરોપઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઈરાદાપૂર્વક પંચાયતી રાજની સત્તાઓ આપવામાં નથી આવતી

vartmanpravah

દમણ પોલીસે બંધ ઘરમાં ચોરીના ગુનામાં 03 આરોપીઓને વાપી રેલવે સ્‍ટેશનેથી ઝડપી પાડયા

vartmanpravah

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

vartmanpravah

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment