Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

સરકારી ગોચર જમીનોની માંગણી અંગે માલધારી સમાજ આંદોલન કરી રહેલ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત માલધારી સમાજ પોતાની પડતર માંગણીઓ સાથે સરકાર સમક્ષ આંદોલન કરી રહેલ છેતે પૈકી સરકારે વચ્‍ચેનો રસ્‍તો કાઢયો છે. પરંતુ માલધારી સમાજે આગળ જાહેર કર્યા મુજબ તા.21 સપ્‍ટેમ્‍બરના રોજ પોતાનું દૂધ વિતરણ નહી કરે તેવો રાજ્‍ય સ્‍તરે લેવાયેલ નિર્ણયનો અમલ કરશે તે મુજબ વલસાડ જિલ્લામાં આવતીકાલે 21 સપ્‍ટે.ના રોજ માલધારીઓ પોતાનું દૂધ વેચાણ કે વિતરણ નહી કરે તેવી જાહેરાત ઉમરગામ સહિત વિવિધ સ્‍તરે યોજાયેલ સમાંતર મીટિંગોમાં ડિક્‍લેર કર્યું છે. તેથી બુધવારે દૂધની હાલાકી જિલ્લામાં ઉભી થશે તેવો અણસાર સાંપડી રહ્યો છે.
આવતીકાલ 21 સપ્‍ટેમ્‍બરના રોજ સામાન્‍ય રીતે માલધારીઓ દૂધ વિતરણ નહી કરશે તો સામાન્‍ય અંશતઃ દૂધની શોર્ટેજ ઉભી થશે, પરંતુ જે લોકો અમુલ કે વસુધારા ડેરીના દૂધ પેકેટ વાપરે છે તેમને કોઈ અસર થશે નહી જે પરિવારો માલધારીઓનું દૂધ વાપરે છે તેમના ઘર સુધી દૂધ બુધવારે આવશે નહી. પરંતુ અમુલ-વસુધારા કે ખાનગી ડેરીઓના દૂધનો વિકલ્‍પ ખુલ્લો છે તેથી સહેજે ગભરાવવાની જરૂર નથી. માલધારીઓ માત્ર એક જ દિવસ દૂધ વિતરણથી અગળા રહેનાર છે.

Related posts

ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્‍બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો

vartmanpravah

સેલવાસના જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશનો શિરમોર ચુકાદો નરોલીની એક કંપનીના માલિકના પુત્રના અપહરણ અને ખંડણીના કેસમાં 6 આરોપીઓને આજીવન જેલની સજા

vartmanpravah

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment