March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

સરકારી ગોચર જમીનોની માંગણી અંગે માલધારી સમાજ આંદોલન કરી રહેલ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત માલધારી સમાજ પોતાની પડતર માંગણીઓ સાથે સરકાર સમક્ષ આંદોલન કરી રહેલ છેતે પૈકી સરકારે વચ્‍ચેનો રસ્‍તો કાઢયો છે. પરંતુ માલધારી સમાજે આગળ જાહેર કર્યા મુજબ તા.21 સપ્‍ટેમ્‍બરના રોજ પોતાનું દૂધ વિતરણ નહી કરે તેવો રાજ્‍ય સ્‍તરે લેવાયેલ નિર્ણયનો અમલ કરશે તે મુજબ વલસાડ જિલ્લામાં આવતીકાલે 21 સપ્‍ટે.ના રોજ માલધારીઓ પોતાનું દૂધ વેચાણ કે વિતરણ નહી કરે તેવી જાહેરાત ઉમરગામ સહિત વિવિધ સ્‍તરે યોજાયેલ સમાંતર મીટિંગોમાં ડિક્‍લેર કર્યું છે. તેથી બુધવારે દૂધની હાલાકી જિલ્લામાં ઉભી થશે તેવો અણસાર સાંપડી રહ્યો છે.
આવતીકાલ 21 સપ્‍ટેમ્‍બરના રોજ સામાન્‍ય રીતે માલધારીઓ દૂધ વિતરણ નહી કરશે તો સામાન્‍ય અંશતઃ દૂધની શોર્ટેજ ઉભી થશે, પરંતુ જે લોકો અમુલ કે વસુધારા ડેરીના દૂધ પેકેટ વાપરે છે તેમને કોઈ અસર થશે નહી જે પરિવારો માલધારીઓનું દૂધ વાપરે છે તેમના ઘર સુધી દૂધ બુધવારે આવશે નહી. પરંતુ અમુલ-વસુધારા કે ખાનગી ડેરીઓના દૂધનો વિકલ્‍પ ખુલ્લો છે તેથી સહેજે ગભરાવવાની જરૂર નથી. માલધારીઓ માત્ર એક જ દિવસ દૂધ વિતરણથી અગળા રહેનાર છે.

Related posts

vartmanpravah

ચીખલી પોલીસે સાડદવેલથી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડયોઃ અન્‍ય બે વોન્‍ટેડ

vartmanpravah

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે કરાશે વૃક્ષારોપણ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment