Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

વરસાદ બાદ ટી.એસ.ડી.એફ. સાઈટ ઉપર બે લાખ મેટ્રીક ટન સોલિડ વેસ્‍ટ સ્‍વિકારાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી. જે વાપીના ઉદ્યોગોનું સોલીડ વેસ્‍ટ અને સી.ઈ.ટી.પી. પ્‍લાન્‍ટનું મેનેજમેન્‍ટ સંભાળી રહી છે તેવી આ કંપનીની 25મી વાર્ષિક સાધારણ સભા આગામી તા.24 સપ્‍ટેમ્‍બરના રોજ વિ.આઈ.એ. ઓડિટોરિયમમાં યોજાનાર છે. જેમાં સોલીડ વેસ્‍ટના નિકાલ સહિતની ચર્ચા હાથ ધરવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી વાપીના ઉદ્યોગો માટે સોલિડ વેસ્‍ટનો નિકાલની સ્‍થાનિક સ્‍તરે કોઈ વ્‍યવસ્‍થા નહોતી તેથી વેસ્‍ટ(સ્‍લજ) છેક બાલાસિનોર સુધી નિકાલ કરવાકંપનીઓ મોકલતી હતી અને તેનું આર્થિક નુર ભાડાનું ભારણ પણ પડતુ હતું. જાણવા મળ્‍યા મુજબ વાપીથી બાલાસિનોર ખાતે 22 હજાર મેટ્રિક ટન સોલિડ વેસ્‍ટ ટ્રાન્‍સપોર્ટેશન કરાયો છે. જેનો ખર્ચો 289 લાખ રૂા. જેટલો થયો છે. તેથી એ.જી.એમ.માં વાપી ગ્રીન એન્‍વાયરો દ્વારા વિકસિત કરાયેલ ટી.એસ.ડી.એફ. સાઈટ ઉપર ચોમાસા બાદ સ્‍થાનિક ઉદ્યોગો વેસ્‍ટ ડમ્‍પીંગ કરી શકશે જે વસાહત માટે સારા અને આવકાર્ય સમાચાર છે. ગ્રીન એન્‍વાયરોની એ.જી.એમ.માં આ મુદ્દે ઘનિષ્‍ઠ ચર્ચા પણ કરવામાં આવશે. આ એ.જી.એમ.માં નિવૃત્ત ડિરેક્‍ટર પૈકી બે સસ્‍પેન્‍ડ મેમ્‍બર ચેતન પટેલ અને એસ.એસ. સરનાનો મુદ્દો પણ ઉપસ્‍થિત થશે. કારણ કે ઉઘરાણા પ્રકરણમાં આ બે ડિરેક્‍ટરોના મુદ્દે હાલ દ્વિધા સર્જાઈ છે કે સસ્‍પેન્‍ડ કે નિવૃત્ત કેટેગરી કઈ ગણવી કારણ કે બન્ને 30 નવેમ્‍બરે 2021માં નિવૃત્ત બન્‍યા હતા.

Related posts

ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક પાંડુરંગ ચાટેએ સેલવાસ સ્‍થિત ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા સ્‍થિત ઈંગારી પહાડમાં આગ લાગી

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પ્રસાર થનાર ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદનનું જાહેરનામું સરકાર દ્વારા રદ્‌ કરાતા ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય સચિવ તરીકે આર.પી.રાયની નિયુક્‍તિ બાદ તેમણે વહીવટને સીધા પાટે લાવવાની કોશિષ કરી પરંતુ…

vartmanpravah

Leave a Comment