Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

વરસાદ બાદ ટી.એસ.ડી.એફ. સાઈટ ઉપર બે લાખ મેટ્રીક ટન સોલિડ વેસ્‍ટ સ્‍વિકારાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી. જે વાપીના ઉદ્યોગોનું સોલીડ વેસ્‍ટ અને સી.ઈ.ટી.પી. પ્‍લાન્‍ટનું મેનેજમેન્‍ટ સંભાળી રહી છે તેવી આ કંપનીની 25મી વાર્ષિક સાધારણ સભા આગામી તા.24 સપ્‍ટેમ્‍બરના રોજ વિ.આઈ.એ. ઓડિટોરિયમમાં યોજાનાર છે. જેમાં સોલીડ વેસ્‍ટના નિકાલ સહિતની ચર્ચા હાથ ધરવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી વાપીના ઉદ્યોગો માટે સોલિડ વેસ્‍ટનો નિકાલની સ્‍થાનિક સ્‍તરે કોઈ વ્‍યવસ્‍થા નહોતી તેથી વેસ્‍ટ(સ્‍લજ) છેક બાલાસિનોર સુધી નિકાલ કરવાકંપનીઓ મોકલતી હતી અને તેનું આર્થિક નુર ભાડાનું ભારણ પણ પડતુ હતું. જાણવા મળ્‍યા મુજબ વાપીથી બાલાસિનોર ખાતે 22 હજાર મેટ્રિક ટન સોલિડ વેસ્‍ટ ટ્રાન્‍સપોર્ટેશન કરાયો છે. જેનો ખર્ચો 289 લાખ રૂા. જેટલો થયો છે. તેથી એ.જી.એમ.માં વાપી ગ્રીન એન્‍વાયરો દ્વારા વિકસિત કરાયેલ ટી.એસ.ડી.એફ. સાઈટ ઉપર ચોમાસા બાદ સ્‍થાનિક ઉદ્યોગો વેસ્‍ટ ડમ્‍પીંગ કરી શકશે જે વસાહત માટે સારા અને આવકાર્ય સમાચાર છે. ગ્રીન એન્‍વાયરોની એ.જી.એમ.માં આ મુદ્દે ઘનિષ્‍ઠ ચર્ચા પણ કરવામાં આવશે. આ એ.જી.એમ.માં નિવૃત્ત ડિરેક્‍ટર પૈકી બે સસ્‍પેન્‍ડ મેમ્‍બર ચેતન પટેલ અને એસ.એસ. સરનાનો મુદ્દો પણ ઉપસ્‍થિત થશે. કારણ કે ઉઘરાણા પ્રકરણમાં આ બે ડિરેક્‍ટરોના મુદ્દે હાલ દ્વિધા સર્જાઈ છે કે સસ્‍પેન્‍ડ કે નિવૃત્ત કેટેગરી કઈ ગણવી કારણ કે બન્ને 30 નવેમ્‍બરે 2021માં નિવૃત્ત બન્‍યા હતા.

Related posts

દાનહ જિલ્લાની નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણીમાં લીનાબેન પટેલની ભવ્‍ય જીત

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત: દમણની વિવિધ પંચાયતોમાં સરકારી ઈમારતોની સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલી કાવેરી નદીના જુના લો – લેવલ પુલ નીચેથી અજાણ્‍યા શખ્‍સની લાશ મળી

vartmanpravah

નવસારી પુરવઠા અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment