April 20, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા-નાનાપોંઢા નાસિક રોડ ઉપર ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી

સમય સુચકતા વાપરી ચાલક કુદી પડતા બચાવ થયો : ટ્રકમાં નાસિકથી સુરત જતા ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: કપરાડા-નાનાપોંઢા-નાસિક રોડ ઉપર જોગવેલ ગામ પાસે આજે બુધવારે સવારે 7 વાગ્‍યાના સુમારે ખાંડનો જથ્‍થો ભરીને નાસિકથી સુરત તરફ જતી ટ્રકામં અચાનક ભિષણ આગ લાગી હતી. આગની ઘટના બાદ અફરાતફરી સાથે ટ્રાફિક જામની સ્‍થિતિ સર્જાવા પામી હતી.
કપરાડા-નાનાપોંઢા-નાસિકને જોડતો હાઈવે માર્ગ જોગવેલ ગામ પાસે આજે સવારે ખાંડનો જથ્‍થો ભરી સુરત જતી ટ્રકમાં અચાનક જ ભિષણ આગ લાગી હતી. જોકે સતર્કતા દાખવી ચાલક સલામત રીતે બહાર નિકળી જતા તેનો જીવ બચી ગયો હતો. આગની ઘટના બાદ કલાકો સુધી ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે નહી પહોંચતા ટ્રક બળીને ખાખ થઈ હતી. બીજી તરફ રોડ ઉપર બન્ને તરફ ટ્રાફિક જામ થઈ જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.સવારમાં બનેલી ઘટનાથી લોકોના ટોળા ઉમટી પડયા હતા. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

Related posts

નાનાપોંઢા ચાર રસ્‍તા રોડના ખાડા પુરવા તંત્ર નિષ્‍ફળ રહેતા ભાજપ આગેવાનોએ જાતે ખાડા પુરાવ્‍યા

vartmanpravah

દાનહ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા પ્રશાસને 15 જેટલા અધિકારીઓને સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકેની આપેલી જવાબદારી

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામે આદિવાસીઓના પરંપરાગત ભોવાડાની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડની ચકચારી વૈશાલી બલસારા હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાએ પ્રસવ પીડા બાદ પૂત્રીનો જન્‍મ આપ્‍યો

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ગુમ/અપહરણ થયેલા 49 બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢયા

vartmanpravah

Leave a Comment